SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરાગ્ય સમેત જ્ઞાન, ધ્યાન, તપ, જપ, ભક્તિ, યુક્તિ, પ્રવૃત્તિ, નિવૃત્તિ, સર્વે નિર્જરારૂપ બને છે. વિરતિને પ્રકાશિત કરનાર વૈરાગ્ય છે. વૈરાગ્યરહિત વિરતિ મેરૂ પર્વત પર એક ઓઘો વધુ મૂક્વા જેવી છે. આ વૈરાગી કેવો છે ? રાગના પ્રબળ નિમિત્ત છતાં રાગ વૈરાગીના મનને ડોલાવે નહિ. વૈરાગ્યમાં આત્મા તૃપ્ત થાય તેવું સુખનું સંવેદન છે. જડ કે ચેતન પદાર્થો પ્રત્યે સાધુ-સાધકને આકર્ષણ નથી. તે જ્ઞાન ધ્યાનમાં લીન છે. આત્માનંદમાં લીન હોય તેને રાગના સાધનોમાં આગ દેખાય. પછી તે પ્રત્યે આકર્ષણ શું ! આખરે આ વૈરાગ્ય પૂર્ણપણે પ્રગટ થતાં મુનિરાજ કેવલ્યના પરમસુખના ધામમાં સ્થિત થાય છે પછી અનંતકાળ એ શાશ્વત સુખના સ્વામી થાય છે. આ વીતરાગતાનું આખરી પ્રદાન છે. ૧૨. સંસારવાસથી પરાડ મુખ (વિમુખ) સાધક વીતરાગતામાં દુઃખ વગરના સુખનો અનુભવ કરે છે. તેને સંસારના દુઃખ ગભરાવતા નથી પણ સંસારના સુખ પ્રત્યે તે કાયર છે. એ સુખ પાછળ દુઃખ દોડતું આવે છે, એ જ્ઞાની-યોગીને સમજાય છે. સંસારના ભયાનક સ્વરૂપનો અનુભવ છે. ચારે ગતિના દુઃખોની વાસ્તવિકતા જાણે છે, તેથી સંસારવાસથી પરાડ·મુખ થાય છે. ૧૩. મોક્ષને જ સ્વહિત જાણનારા ઃ ભલે દેહ છે ત્યાં સુધી દેહને નિભાવે છે પરંતુ જ્ઞાની-યોગીનું મન તો સ્વરૂપમાં રમે છે. દેહનું દમન, કષાયોનું શમન, વિષયોનું વમન કરવામાં સ્વહિત જાણે છે. મન, વચન, કાયાના યોગને તે માર્ગે વાળે છે. ઉપયોગ ભાવમાં મુક્તિ ઝંખે છે. “એમ વિચારી અંતરે, શોધે સદ્ગુરુ યોગ, કામ એમ આત્માર્થનું બીજો નહિ મન રોગ.' : × ૧૦. આત્મસાધકનું ચિંતન-ચિંતા : XILIA પ્રશમરતિ Jain Education International -શ્રીમદ્ રાજચંદ્ર સદ્ગુરુ દ્વારા આત્મ સાધકની વિશેષતા જાણી. સાધક હવે પૂર્ણતા પામવાની ચિંતા સેવે છે કે દીર્ઘકાળે પુણ્યયોગે માનવદેહ મળ્યો, પૂર્વે પણ મળ્યો હતો છતાં મારો પ્રમાદ કેવો કે હજી મારું પરિભ્રમણ ટળતું ૧૧૮ For Private & Personal Use Only આત્મસાધકનું ચિંતન-ચિંતા www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy