SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ જીવો વસે છે. જેમાં નારક, તિર્યાય, મનુષ્ય અને દેવોનો સમાવેશ થાય છે. લોકાગ્રે મુક્તાત્મા, સિદ્ધાત્મા વસે છે. જેઓ સંસારની કર્મજનિત વિષમતા અને વિચિત્રતાથી મુક્ત છે. સાધક લોકના સ્વરૂપને જાણીને હેય અને ઉપાદેયનો વિવેક રાખે છે. પરમાર્થ ગ્રહણ કરે છે. જીવ ચૈતન્ય સ્વરૂપે સમાન હોવા છતાં અજ્ઞાનવશ કર્માધીન વિષમતાથી ગતિ આદિ, સુખદુઃખાદિ ભેદ જણાય છે. સ્વભાવે જીવ માત્ર પૂર્ણાનંદરૂપ અને સુખમય છે. તેથી સાધુ કે સાધક પૂર્ણાનંદરૂપ સ્વરૂપને ચાહે છે. સ્વસ્વરૂપમાં લીન થઈ સિદ્ધતા પામે છે. વળી જ્ઞાની-યોગી જાણે છે કે આ સંસારમાં અનંતવાર જન્મ લીધો પણ કયાંય સુખ પામ્યો નહિ. તેથી જગતના કોઈ પ્રલોભનો તેમને ચલિત કરતા નથી. . ચારિત્રની પવિત્રતા : - સાધુ શીલવાન હોય, બ્રહ્મચર્યવ્રત નવ વાડ યુક્ત છે. પરંતુ ચારિત્રની શીલતા તો અઢાર હજારની સમૃદ્ધિ યુક્ત હોય છે. તમને થશે કે શીલના અંગોનું આ કેવું સામર્થ્ય? તો ટૂંકમાં જાણો. ૧૦ યતિધર્મ ૪ સંજ્ઞા - આહાર, ભય, મૈથુન, પરિગ્રહનો ત્યાગ. ૪૦. ઈન્દ્રિય - સ્પર્શ, રસ, ગંધ, ચક્ષુ, શ્રવણ, પંચેન્દ્રિય વિજેતા. ૨૦૦ ૧૦ કાય -પૃથ્વીકાય, અપ (પાણી), તેઉ (અગ્નિ), વાઉ, વનસ્પતિ, દ્વિન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય, અજીવ વસ્ત્રાદિ (મૂળમાં પૃથ્વીકાયાદિ છે) ૨૦૦૦ ૩ યોગ - મન, વચન, કાયા ૬૦૦૦ ૩ કરવું, કરાવવું, અનુમોદવું. ૧૮,૦૦૦ શીલાંગાચાર દસ યતિધર્મ : ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ (શુદ્ધિ), તપ, સંયમ, સત્ય, પવિત્રતા (શોચ), અકિચન્ય, બ્રહ્મચર્યનું પાલન. આ ક્ષમાદિ ગુણમાં વર્તતો સાધક સંજ્ઞા કે ઈન્દ્રિય વિષયનો નિગ્રહ પ્રશમરતિ ૧૧૬ આત્મસાધકની તેર વિશેષતાઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy