SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્ર : “સમક્તિ વિણ ચારિત્ર નહિ ચારિત્ર વિણ નહિ મુક્તિ'' ચારિત્રરહિત ગમે તેટલા આરાધનાના ઉપાય યોજે પણ તે આ લોકમાં ઉપર, નીચે કે આડે અર્થાત ગતિચતુષ્ટય પામે સ્વરૂપચતુષ્ટય તો ચારિત્રથી પામે કારણકે તે એક અદ્ભૂત નિષ્પાપ જીવન છે. જે પરિણામે મુક્તિ દાતા છે. તપ ઃ ઈચ્છાઓનું, વાસનાઓનું શમી જવું, તૃપ્ત થવું. ધર્મારાધના માટે દેહને ટકાવવા જેટલી જરૂરિયાત પૂરી થતાં, તે મહાત્મા તપમાં લીન બને છે અને સકામ નિર્જરા થતી રહે છે. સ્વાધ્યાય : આ તપમાં સાધક, મહાત્મા પ્રમાદને પેસવા દેતા નથી. તપને વધુ ઉજ્જવળ ક૨વા સ્વાધ્યાયને પ્રાણ સમજે છે. ગુરુગમે વિનયપૂર્વક સૂત્ર અર્થને ભણે છે, પુનરાવર્તન કરે છે. પુનઃ પુનઃ તેમાં જ મગ્ન રહે છે. આવા સત્પુરૂષો પાસે સત્સંગ કથા જ હોય છે ત્યાં સંસારકથા તો નામશેષ થઈ હોય છે. જ્ઞાન-ધ્યાન : આ સ્વાધ્યાયના જ્ઞાનરસ-સુધારસનું પાન કર્યા પછી સાધકને અન્ય પ્રયોજન નથી તે તો ધર્મધ્યાનમાં ઝૂલતા હોય છે. આમ પ્રથમ વિધેયક-ઉપાદેયતાના નિમિત્તો દર્શાવ્યા છે. ત્યાજય શું છે તેની વિશેષતા હવે બતાવે છે. 3. સાધક હિંસા, અસત્ય, ચોરી, મૈથુન પરિગ્રહની મૂર્છાથી વિરક્ત છે. આ સાધક - સાધુ વ્રતથી યુક્ત છે અને અવ્રતથી વિરકત છે. હિંસાત્યાગ : અન્ય જીવની કે તેના પ્રાણોની હાનિ થાય તો પોતાના પ્રાણ જતા કરે કારણકે મહાત્મા-મુનિનો ધર્મ જીવરક્ષાનો છે. સાધકમાત્ર માટે આ હેતુ ઉપાદેય છે. કોઈને વધ, બંધન, છેદ કે માનસિક પીડા આપવા જેવા હિંસકભાવયુક્ત કાર્ય સાધક કરે નહિ. હિંસાયુક્ત ક્રિયા કે ભાવ થાય તેવો પ્રમાદ તેઓ સેવતા નથી. રાગાદિ ભાવ તે પરમાર્થ ભાવ હિંસા છે, તેવો બોધ ગ્રહણ કરવો. અસત્ય ત્યાગ : સાધકની વાણી મૃષા-અસત્ય ન હોય. હિત પરિમિત અને સૌમ્ય વાણી સત્ય છે. પરમાર્થથી પરપદાર્થોને મારા કહેવા તે અસત્ય છે. હિતાવહ વાણીનું વરદાન માનવને મળ્યું છે. તે અસત્યના શ્રાપમાં શા માટે ફેરવવું ? શ્રાપ એ અર્થમાં કે અસત્ય વાણી વદનારનો ભવાંતરે વાણી ન મળે તેવી ગતિમાં જન્મ થાય છે. શાસ્ત્રના વિધાનની કે ગુરુવાણીની ઉત્સૂત્રતા કરવી એ પાપજનક છે, અસત્ય છે. પ્રશમતિ Jain Education International આત્મસાધકની તેર વિશેષતાઓ ૧૧૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy