SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ટી.વી. નું સાધન જોનારને પાંચે ઈન્દ્રિયોના વિષયોનું વિષ એક જ સાથે પૂરું પડે છે. જેમકે તમે એરકન્ડીશન રૂમમાં સુંવાળા સાધનોની સુવિધામાં બેસો છો. શરીરને સ્પર્શેન્દ્રિયથી સુખ ઉપજે છે. ત્યાર પછી તમે ટી.વી. સામે બેસીને આહાર કરો છો ત્યારે પદાર્થોના રસ અને સુગંધ ભોગવો છો, અને આંખ, કાન તો ટી.વી.ના દ્રશ્યો સામે જોડાયેલા છે, તેમાંથી વળી માનસિક કેટલાયે વિકારો ઉઠતા હશે તેનો કયારે પણ વિચાર કર્યો છે ? તું બુદ્ધિમાન છે તેનો આ કેવો ઉપયોગ છે, કે એક જ સાથે પાંચે ઈન્દ્રિયોને વશ થાય છે. મૃત્યુ તો તેના સમયે આવશે પણ આ પરવશતાનું મૃત્યુ તો ચાલુ જ છે. અરે ! કદાચ તું ધર્મોપદેશ સાંભળતો હશે તે શ્રવણનું ધોવાણ આ વિષયોના પોષણ દ્વારા ક્ષણમાત્રમાં થઈ જાય છે. માટે જો તારે માનવજીવનની ઉત્તમતા પ્રાપ્ત કરવી હોય તો તું સંયમમાર્ગે પ્રયાણ કર તે પ્રારંભમાં કઠીન પણ અંતમાં અમૃત છે. ઈન્દ્રિય સર્વ નિરોધીને, મન કરીને સ્થિરરૂપ, ક્ષણભર જોતાં જે દિશે, તે પરમાત્મ સ્વરૂપ. -સમાધિશતક, ઉ. શ્રી યશોવિજયજી ઈન્દ્રિયોને શું દોષ આપશો ? એ ઈન્દ્રિયોના વિષયોમાં જીવ જ રાગ કે દ્વેષ યુક્ત શુભ કે અશુભ પરિણામ કરે છે તે પરિણામ જ કર્મબંધનો હેતુ બને છે. જે જીવો દેહ અને ઈન્દ્રિયોનું અસ્તિત્વ સ્વીકારે છે અને ચૈતન્યઆત્માનો સ્વીકાર જ કરતા નથી, તેમને આ કર્મસત્તા કે ધર્મસત્તાનું જ્ઞાન નથી. વળી ગત જન્મોમાં અજ્ઞાનવશ બાંધેલા કર્મો જીવને યથાસમયે ઉદયમાં આવીને સુખ કે દુઃખનો અનુભવ કરાવે છે. જીવ સ્વભાવમાં એટલે ધર્મસત્તાની રેખામાં રહે તો કર્મસત્તા કંઈ જ કરી શકતી નથી. વિભાવદશા એટલે આત્માના જ વિકૃત પરિણામ છે. આ ચિત્તપરિણામ જ કર્મબંધના મુખ્ય હેતુઓ છે. સદ્ભાગ્યે જો કોઈ પ્રત્યક્ષ સદ્ગુરુનો સમાગમ થાય તેમનો બોધ રૂચે તો આ કર્મસત્તાના સકંજામાંથી છૂટવાની શકયતા છે. અને બોધમાંથી જીવને તત્ત્વદૃષ્ટિ પ્રાપ્ત થાય તો તે આ કર્મબંધના કારણોને-મૂળને જાણી તેનો છેદ કરી શકે. તે તત્ત્વબોધ દ્વારા દોષોને જાણે છે. તેને છેદવાનો ઉદ્યમ કરે છે. તે ઉપાયોને હવે ગ્રંથકાર જણાવે છે. પ્રશમરતિ Jain Education International વિષયો દ્વારા કેવો વિનાશ ? ૧૧૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy