SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ નિરંતર રાગદ્વેષના પરિણામવાળો જીવ કષાયને આધીન રહે છે. | મિથ્યાત્વ જેવા વિપરીત પરિણામવાળો, જે પદાર્થોમાં સુખ નથી ત્યાં સુખ માનવાવાળો સદેવાદિનો અનાદર કરવાવાળો નિરંતર કર્મ બાંધે છે. પાંચ ઈન્દ્રિયોનો અસંયમ, પાંચ અવ્રત, ચાર કષાય, મનાદિ યોગની વક્રતાને કારણે જીવ કષાયી પરિણામવાળો થઈ નિરંતર કર્મને નિમંત્રે છે. વળી પ્રિય વિષયો મેળવવાની ઝંખના, અપ્રિય વિષયોના વળગાડથી છૂટવા, મળેલી સાધન સામગ્રી, ભોગાદિને સાચવવા નિરંતર ચિંતા કરે છે. રોગાદિના ભયની નિરંતર ચિંતા દુર્ગાન - આર્તધ્યાન વડે જીવ કષાયી બને છે. આ આર્તધ્યાનને જો ત્યજતો નથી તો જીવના પરિણામ હિંસાદિ ક્રૂરતાવાળા બને છે ત્યારે તે રૌદ્રધ્યાની બને છે. હિંસા જેવા દુષ્ટ પરિણામ સાથે અસત્ય, ચોરી જેવા દોષો જીવને ઘેરી લે છે. ત્યારે જીવ કષાયી બને છે. તેને એ ભાન પણ રહેતું નથી કે હિંસા, અસત્ય જેવા પાપોનું પરિણામ ભયંકર દુઃખ છે. તે વિષે જીવ પૂરો અજ્ઞાની છે. આહારાદિ ચાર સંજ્ઞાઓ કષાયને સહાયક છે. ૧. આહાર સંજ્ઞા વળી આહારની લોલુપતા, ગમે તેટલા સ્વાદિષ્ટ ભોજન પૂરી જીંદગી સુધી આરોગે તો પણ તે તૃપ્ત થતો નથી. રાત દિવસ ખાઉં ખાઉં કર્યા જ કરે છે. તેવી ભયંકર આહાર સંજ્ઞાના પાપે જીવ કષાયી થઈ અધોગતિ પામે છે. ત૫ કરે તો પણ આગળ પાછળ આહાર સંજ્ઞા સેવાય છે. તેથી તપથી નિર્જરા થતી નથી. ૨. ભય સંજ્ઞાની ભૂતાવળમાં જીવ ભૌતિક સુખ પણ શાંતિથી ભોગવી શકતો નથી. સંપત્તિની સુરક્ષા, શરીરના રોગાદિ ભય, પરિવારની ચિંતા, આમ ચારે બાજુ ભયની ભૂતાવળમાં જીવ કષાયી પરિણામવાળો થઈ દુઃખી થાય છે. કથંચિત પશુપંખી કરતાં પણ માનવને ભયસંજ્ઞા વિશેષ હોય છે. ૩. મૈથુન સંજ્ઞાથી તો જીવની વાસનાની આગ બૂઝાતી નથી. જેમ જેમ વિષય સેવન કરે છે તેમ તેમ તે પાપને ઈધન મળી રહે છે. એકેન્દ્રિયથી માંડીને સર્વ જીવો આ સંજ્ઞાને આધીન કષાયી થઈ અધોગતિ પામે છે. એકેન્દ્રિયાદિને દેહનું મમત્વ મૈથુન છે. ૪. પરિગ્રહની સંજ્ઞાથી જીવ માત્ર ગ્રસિત છે. એકેન્દ્રિય જેવા જીવો પ્રશમરતિ ૧૦૬ સંજ્ઞાઓનું સેવન કષાયી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy