SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ આલોક અને પરલોકમાં દુઃખના પોટલા લઈને જવાનું અને સ્વ-પર બંનેને સંતાપમાં રહેવાનું, માટે હવે બોધ પામ, બોધ પામ, અટકી જા. સંતોના સમાગમથી કે શાસ્ત્રશ્રવણથી બોધ પામ. માનનું પરિણામ : ક્રોધનો સહોદરબંધુ માન. આ માનનું સૈન્ય પણ મોટું છે. માન જયારે મદનું કુરૂપ ધારણ કરે છે ત્યારે તેનો વિસ્તાર સવિશેષ આઠ પ્રકારે થાય છે. માનનો વિસ્તાર એટલે મદના આઠ પ્રકાર : ૧. જાતિ મદઃ મારી જાતિ, જ્ઞાતિ ઉંચી એટલે હું મોટો, મને સૌ માન આપે. હે જીવ! ઈન્દ્રિયોથી ઓળખાતી અનેક જાતિઓમાં કર્મવશતાથી જીવો જન્મે છે. કોઈ જાતિ શાશ્વત નથી તો પછી તેનો મદ શાને? હા તને ઉત્તમ જાતિ મળી હોય તો તે ઉત્તમ કાર્ય સાધ્ય કરી લે. આત્મકલ્યાણ કરી લે. ૨. કુળમદ : કદાચ લોક પ્રસિદ્ધ ઉત્તમકુળમાં પુણ્યયોગે જમ્યો, પણ તારી પાસે જ્ઞાન કે સદાચાર જેવા ગુણો નથી તો તે ઉત્તમકુળનો મદ કરવાથી શું હિત છે? કુળનું અભિમાન કરવાને બદલે મળેલા પુણ્યયોગનો સદાચાર, પરોપકારાદિ વડે સઉપયોગ કરી લે તેમાં તારું આત્મહિત છે. ૩. રૂપમદ : એટલે ચાર દિવસની ચાંદની જેવી યુવાની, તે દિવાની બનાવી જવાની. તેમાં તું મદ શું કરે છે? ચામડી મઢેલા આ સાત ધાતુના માળખામાં મદ કરવા જેવું શું છે? વળી વિચાર કે ચક્રવર્તી અને ઈન્દ્રના રૂપ પાસે તારા રૂપનું અવમૂલ્યન છે. માટે રૂપનો ગર્વ ત્યજી દે અને માનવદેહને સાર્થક કરી લે. ૪. બળમદઃ રૂપ, બળ કોના આધાર પર? શરીરના. શરીર કોના આધાર પર? ભાઈ ધરતી ધ્રુજાવનારા નરવીરો પણ જરા અને મૃત્યુ પાસે રાંક થઈ જાય છે. તારી પાસે એવું બળ જ કયાં છે ? છતાં તારી પાસે શારીરિક બળ છે તો તપ જેવા સાધન દ્વારા આત્માને પવિત્ર કરી આત્મશક્તિની વૃદ્ધિ કરજે, જન્માંતરે મુક્તિ પામીશ. ૫. લાભમદઃ પુણ્યયોગે જીવને સંસારમાં લાભાંતરાયના ઘટવાથી સુખ સામગ્રીનો યોગ-લાભ થાય છે. પણ ભાઈ ! તે કંઈ તારી સાથે આવવાના નથી. જીવને ખરો લાભ તો ધર્મલાભ કે આત્મગુણનો લાભ છે. દેવ, ગુરુ અને શાસ્ત્રશ્રવણનો યોગ તે મહાલાભ છે, તે લાભાંતરાયકર્મના ક્ષયોપશમથી મળે છે. માટે ભૌતિક પદાર્થો મળે કે ના મળે પણ આત્મહિતના સાધન મળે તે મુક્તિની સાધનામાં ઉપયોગી છે માટે બાહ્ય સામગ્રીના લાભનો લોભ ત્યજી દે. પ્રશમરતિ Jain Education International - ૧૦૨ સુખનો સ્વામી કલેશવાળો કેમ થયો? For Private & Personal use only www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy