SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૦૨] પ્રથમ વિમાનસમાં, વનસ્થાપિ તિવો વિચિત્તનાત | हृदयं न हि यद्धिदीर्यते, घुसदां तत्कुलिशाणुनिर्मितम् ॥२०॥ મૂલાર્થ : વળી દેવલોકમાંથી અવન થવાનું છે એમ જાણવા છતાં મોટા વિમાનની સંપદાવાળ. દેવોના હૃદય (ક્ષોભ) વિદીર્ણ થતાં નથી. તેથી એમ જણાય છે કે તેમનું હૃદય વજના પરમાણુ વડે નિર્માણ થયેલું હશે. ભાવાર્થ: દેવાંગનાના વિરહથી દુઃખી થનારા તે દેવો મરણકાળને જાણવા છતાં જરાય ક્ષોભ પામતા નથી. વિમાન આદિ સંપત્તિ છોડવી પડશે એમ જાણવા છતાં દુઃખી થતા નથી. એવું તેમનું હૃદય કઠણ વજ જેવું હોય છે. અને ક્ષોભ પામે તોપણ મરણનો ભય નથી. માત્ર મરવાનું દુઃખ છે. [૨૦૨] વિષપુરતિઃ શિવર્થિની, નીતિધ્વતિ વિનાવિનાસ્વ . धननन्दनचन्दनार्थिनो, गिरिभूमिष्वपरद्रुमेष्विव ॥ २१ ॥ મૂલાર્થ : જેમ ઘણા નંદન વનના ચંદનનાં વૃક્ષોની ઇચ્છાવાળા મનુષ્યને પર્વતની ભૂમિને વિષે રહેલાં અન્ય વૃક્ષો પર પ્રીતિ થતી નથી. તેમ મોક્ષાભિલાષી યોગીજનોને ચારે ગતિના કોઈ પણ વિષયો પર પ્રીતિ થતી નથી. - ભાવાર્થ : યદ્યપિ ચાર ગતિમાં નરક વિષે પ્રીતિ કરવા જેવા પદાર્થો નથી. છતાં વૈરભાવથી અન્યોન્ય મારવા જેવા કૃત્યમાં ત્યાં જીવને જાણે સુખ હોય! તેમ વર્તે છે. વળી ત્રણે ગતિમાં સંસારી જીવને સ્પર્શદિના સુખોની પ્રતિ હોય છે. પરંતુ મેરૂપર્વત પર રહેલા નંદનવનના ચંદનવૃક્ષની અભિલાષાવાળાને જેમ પર્વત કે પૃથ્વી પર રહેલા સામાન્ય વૃક્ષ મેળવવાની પ્રીતિ થતી નથી તેમ યોગીજનોને સાંસારિક પદાર્થોની અભિલાષા થતી નથી. [२०४] इति शुद्धमतिस्थिरीकृताऽ-परवैराग्यरसस्य योगिनः । स्वगुणेषु वितृष्णतावहं, परवैराग्यमपि प्रवर्तते ॥ २२ ॥ મૂલાર્થ ઃ આ પ્રમાણે જેણે શુદ્ધબુદ્ધિ વડે અપર વૈરાગ્યનો રસ સ્થિર કર્યો છે, એવા યોગીઓને આત્માના ગુણો વિષે નિ:સ્પૃહતાને વૈરાગ્ય વિષય : ૧૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004896
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages490
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy