SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ [૫] રાક્ષસવ'શ–અધિકાર કર્મીના અનુભાવથી સગરના પુત્રપણે ઉત્પન્ન થયા. રાગ-દ્વેષાધીન થઈ જે પુરુષ સંઘની નિંદા કરે છે, તે હજારા ભયંકર ભવવાળા સૉંસારમાં વારવાર ભટક્યા કરનાર થાય છે. પેાતાનું અને ભવ–પર`પરા કરનાર સગરના પુત્રાનુ` ચરિત્ર સાંભળીને ભગીરથે પ્રયા અંગીકાર કરી. લાંખા કાળ સુધી તેનુ પાલન કરી ભગીરથ સિદ્ધિપદને પામ્યા. આ પ્રમાણે ગૌતમ સ્વામીએ શ્રેણિક રાજાને સગર રાજાનું ચરિત્ર સંભળાવ્યું. હવે હે શ્રેણિક ! ચાલુ અધિકાર સાંભળેા. (૨૧૬) મહારાક્ષસના પૂર્વભવા અને પ્રગયા ત્યાં લંકાપુરીના સ્વામી જે મહારાક્ષસ હતા, તે મહાનુભાવ નિષ્કંટક અનુકૂલ મહાભાગવાળું રાજય ભાગવતા હતા. કોઇક વખત યુતિવ-સહિત તે રાજા ઉત્તમ ઉદ્યાનમાં વાવડીના જળમાં ક્રીડા કરીને બહાર નીકળતા હતા. ત્યાં તેણે કમળમાં રહેલા ભ્રમરને જોયા. તે વિચારવા લાગ્યા કે, પદ્મ-કમળની ગધમાં આસક્ત આ અજ્ઞાની ભ્રમર જેમ નાશ પામે છે, તેમ યુવતીઓના વન-કમળમાં આસક્ત થએલા હું પણુ નાશ પામું છું. બુદ્ધિવગરના બિચારા મધુકરા નક્કી વિનાશ પામે છે, પરંતુ કુશળબુદ્ધિવાળા મારા સરખા જે નાશ પામે, તે ખરેખર માહનુ' સામ્રાજ્ય જાણવું. ગન્ધ અને રસવડે જો આ ભ્રમર ક્ષય પામ્યા, તે! પાંચે ઇન્દ્રિયાના વિષયાને આધીન થએલા હું તે પહેલાં જ વિનાશ પામીશ. વિષયસુખ ભગવનાર અને ધમમાં ઉદ્યમ ન કરનાર પુરુષ વારવાર ચારગતિવાળા સંસારમાં રગદોળાયા કરે છે, જ્યારે લંકાધિપતિ આ પ્રમાણે વૈરાગ્ય-ભાવના ભાવી રહેલા હતા, ત્યારે શ્રમણસંઘના પરિવારવાળા શ્રુતસાગર નામના શ્રમણ મુનિવર ત્યાં ઉદ્યાનમાં પધાર્યા. ત્રસ અને સ્થાવર જીવરહિત નિર્જીવ શિલાપટ્ટ ઉપર બિરાજમાન થયા અને તેમને! પરિવાર પણ નજીકમાં બેસી ગયા. : ૩૯ : ઉદ્યાનપાલકાએ રાજાને મુનિના આગમનના સમાચાર આપ્યા એટલે ઉત્કંઠિત રાજાએ ઉદ્યાનમાં પહોંચીને શ્રુતસાગર મુનિને પ્રણામ કર્યાં. ખાકીના મુનિસંઘને પણ ક્રમસર પ્રણામ કરીને રાજા ત્યાં બેઠા અને મુનિવરને રાજાએ પેાતાના ભવ-ભ્રમણ વિષચક પ્રશ્ન પૂછ્યા. ત્યારે છદ્મસ્થ જ્ઞાનવાળા મુનિવર જે કાંઇ જાણતા હતા, તે પ્રમાણે કહેવા લાગ્યા કે− આ ભરતક્ષેત્રમાં પાતનપુર નગરમાં હિતકર નામના મનુષ્ય રહેતા હતેા. માધવી નામની તેને ભાર્યાં હતા. તેમના તું પ્રીતિકર નામના પુત્ર હતા. ત્યાં જિનવર-ધર્મના અનુરાગી હેમરથ નામના રાજા હતા. કાઈક સમયે તેણે ભાવથી ચૈત્યની પૂજા કરી અને મેાટા શબ્દવાળા પડહેા અને શ`ખ વગાડતા જિનેશ્વરના જયમંગલના શબ્દો ખેલવા લાગ્યા. તે શબ્દો સાંભળતાં જ તું જાગી ગયા અને હર્ષિત મનવાળા તું પણ જિનેન્દ્રના સ્મ્રુતિ-મંગલપાઠની ઘેાષણા કરવા લાગ્યા. એમ કેટલેાક કાળ પૂર્ણ કરીને કાલ પામી તું મહાઋદ્ધિવાળા યક્ષ થયા. અપરિવદેહમાં કંચન નગ— રમાં તે. એક મુનિવરને જોયા. તેને કોઇ ઉપસર્ગ કરતા હતા, પેાતાની શક્તિ અનુસાર તેનું નિવારણ કરીને મુનિવરના દેહનું રક્ષણ કર્યુ”. એ રીતે યક્ષે પુછ્યાપાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004884
Book TitlePaumchariya
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherVallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai
Publication Year1914
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy