SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૬ ) આવેલું ન હોય, ત્યાં પણ નવપદ પૈકી કેઈપણ પદનું ૨૦૦૦ વાર ગણુણું ગણવું ઘટે છે, બાકીને વિધિ નવપદની ઓળીમાં બતાવ્યા પ્રમાણે યથાયોગ્ય સમજી લે. પંચમી તપને મહિમા ને તેની સામાન્ય સમજ. જ્ઞાનનું આરાધન કરવા શાસ્ત્રકારે પંચમી તપ કરવા જણાવ્યું છે, શકિત હોય તે સઘળી પંચમી કરવામાં આવે, નહિ તે દરેક માસની અજવાળી પંચમી, નહિ તે છેવટે કાર્તિક શુદિ પંચમી ( સૌભાગ્ય પંચમી ) તે જરૂર કરવી જોઈએ, તેમાં ૨૦૦૦ વાર ગણુણું “ નમે નાણસ ” એ પદનું ગણવું, કાઉસગ લેગસ (૫) અથવા (૫૧) અને એટલાં જ ખમાસમણુ વિગેરે પંચમી દિને દેવાં જોઈએ, આ તપ પણ યથાશકિત પાંચ માસ, પાંચ વરસ, અથવા અંદગી પર્યત કરવામાં આવે છે; તપના દિવસે યથાયોગ્ય પૌષધાદિક અંગીકાર કરી, જ્ઞાનીનું બહુમાન સાચવી જ્ઞાનાભ્યાસ કરવે જોઈએ. અષ્ટમી તપને મહિમા ને તેની સમજ. આવશ્યક સૂત્રની નિયુકિતમાં શ્રીમાન્ ભદ્રબાહુસ્વામીજીએ કહ્યું છે કે-“અછૂંકમ્મમહણું અઠ્ઠમી” એટલે આઠે કર્મનું મંથન કરનારી અષ્ટમી છે, અર્થાત વિધિયુકત અષ્ટમીને તપ કરતાં આઠે કર્મને ક્ષય થઈ શકે છે, આઠમના દિવસે બની શકે ત્યાં સુધી અવશ્ય પૌષધ પ્રમુખ કરવું જોઈએ, તે તપ યથાશકિત ૮ માસ, ૮ વર્ષ અથવા અંદગી પર્યત કર ઘટે છે. એકાદશી તપને મહિમા ને તેની સામાન્ય સમજ. અગીઆર અંગનું આરાધન કરવા આ તપનું નિર્માણ છે, શ્રી નેમીનાથ ભગવાનને કૃષ્ણજીએ પિતાના ઉદ્ધાર અર્થે કાંઈ સાધન માટે પુછયું હતું, ત્યારે ભગવાને તેને એકાદશીનું આરાધન કરવા જણાવ્યું હતું, સુવ્રત શેઠે આ પર્વનું યથાવિધિ આરાધન કરેલું છે, તપના દિવસે એકચિત્તે પિષધાદિકનું સેવન કરવું, અને તે તપ યથાશકિત ૧૧ માસ, ૧૧ વર્ષ યાવત છવિત પર્યત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy