SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ આવતી ૧૨૯ સામ્રાજ્યમાં એની ગણના હતી. શ્રાવસ્તી નગરી કેશલાદેશની રાજધાની હતી. આ નગરીના વિષયમાં બૌદ્ધ અને જૈન ગ્રંથમાંથી ઘણી હકીકતે મળી આવે છે. વિદ્યાને એ વાક્યથી જ એની રમણીયતા પ્રગટ થાય છે એટલું જ નહિ “અકથાકાર તે કહે છે કે “મનુષ્યના જે કંઈ ઉપગ-પરિગ છે, તે બધા અહીં છે (સવં અસ્થિ), તેથી આ નગરી સાવત્થી (શ્રાવસ્તી) નામે કહેવાય છે, એની જનસંખ્યા સાત કાટિ હતી.” મતલબ કે, આ એક વિશાળનગરી હતી. આ નગરી અચીવતી નદીના કિનારે હતી અને સાકેત (અધ્યા) થી ૬ રોજન દૂર હતી. “પત્યવત્થના કથન મુજબ હિમાલય પર્વત અહીંથી જોવામાં આવતું હતું. આ નગરીમાં બુદ્ધ ભગવાન વિશેષતઃ રહ્યા હતા તેથી બૌદ્ધ ગ્રંથના વર્ણન અનુસાર શ્રાવસ્તીને પ્રાચીન વિસ્તાર, તેમાં વર્ણવેલા ચાર દરવાજા, રાજકારામ, અનાથપિંડકનું ઘર, વિશાખાનું ઘર, રાજમહેલ, કચેરી, મહાવથી, ગંડમ્મરૂખ, પંચછિદ્રક ગેહ, બ્રાહ્મણવાટક, સડકે, દાણુ લેવાની ચોકીઓ તેમજ જેતવન અને તેમાં આવેલાં બુદ્ધવિહાર, જેને તીથિકારામ વગેરે સ્થળો ક્યાં હોવાં જોઈએ એનું શ્રીરાહુલ સાંકૃત્યાયને પિતાના પુરાતત્વ નિબંધાવલી” નામના ગ્રંથમાં એતિહાસિક દષ્ટિએ વિશદ વર્ણન કરેલું છે. આ કીકત શ્રાવસ્તીની શ્રેષ્ઠ સમૃદ્ધિ અને કુદરતી રમ્યતા એ સમયમાં કેવી હતી એનું પ્રમાણ આપે છે. ભગવાન બુદ્ધ મહાઋદ્ધિશાળી શ્રેષ્ઠી અનાથપિંડકના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004878
Book TitlePurva Bharatni Jain Tirth Bhumio
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1951
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy