SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ પટ ૧૦૫ એવા આ વાત્ય પ્રદેશનું આબેહુબ ચિત્ર આપણી સમક્ષ દેરાઈ જાય છે. આપણે તેના ઉપર ઊડતી નજર નાખી લઈ જૈનધર્મના આ કેંદ્રની મહત્તા માપીએ. જૈન ગ્રંથે આ નગરની ઉત્પત્તિ વિશે કહે છે: રાજગૃહમાં રહેતા કણિકને પિતાના પિતા શ્રેકિના મરણ પછી એ નગરમાં રહેવાનું ન રુચ્યું તેથી તેણે ચંપાપુરી વસાવી મગધની રાજધાની ત્યાં ફેરવી નાખી; તેમ કણિકના મરણ પછી તેના પુત્ર ઉદાયીને ચંપાપુરીમાં મન ન લાગ્યું. તેણે પાટલીપુત્ર નામે નવું નગર વસાવ્યું. આ હકીકતને “વાયુપુરાણ” પણ ટેકે આપે છે. તે જણાવે છે કે, ઉદાયીએ પિતાના રાજકાળના ચોથા વર્ષે કુસુમપુર (પાટલીપુત્ર) વસાવ્યું. એટલે વિ. સં. પૂર્વે ૪૪૪ માં તે ગાદીએ આવ્યું હતું, આથી વિ. સં. પૂ. ૪૪૦ ની આસપાસ તેણે પાટલીપુત્ર વસાવ્યું હોય. કથા કહે છે કે, ઉદાયીએ જ્યારે પિતાના મંત્રીને સ્થળની શોધ માટે મોકલ્યો ત્યારે રાજસેવકે ફરતા ફરતા ગંગાને કિનારે આવ્યા અને ત્યાં ખૂબ ઘટાદાર પાટલાવૃક્ષને જેરું. એ વૃક્ષની ડાળે પપે બેઠો હતો. તેના મેંમાં ગંગાનું પાણી ઊછળીને આપોઆપ પડતું હતું. આ જોઈને નૈમિનિકોએ સૂચવ્યું કે જેમ પપૈયાના મોંમાં સ્વતઃ કાણું પડે છે તેમ અહીં જે નગર વસાવ્યું હોય તે સમૃદ્ધિ પણ સ્વતઃ ખેંચાઈ આવે. આ ફળાદેશને અનુલક્ષી ઉદાયી રાજાએ પાટલા વૃક્ષ ઉપરથી પાટલીપુર કે પાટલીપુત્ર નગરની સ્થાપના કરી. અહીં કસમાં પુષ્કળ પ્રમાણમાં થતાં હોવાથી કુસુમપુર કે પુપપુર એવા નામે પણ એ સંધાતું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004878
Book TitlePurva Bharatni Jain Tirth Bhumio
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1951
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy