SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ -૨૮ મુરખ જાણે મુજ વિના, ચાલે નહિ વ્યવહાર ગયા યુધિષ્ઠિર રામ નળ, પણ ચાલે સંસારસ્વસ્તિક લંછન યુક્ત શ્રી સુપાર્શ્વનાથ આસન છત્રીમાં વિરાજમાન છે. છીપલી કે કેડી જેવા ચહ્ન છતાં શેભામાં ન્યૂનતા નથી. દિગંબર દેહરૂ ને ધર્મશાળા પણ અહીં છે. જો કે આ ગામ મોટું નથી, છતાં નજીકમાં કોલસા ને અબ્રાની ખાણે હોવાથી તેમજ અહીં અબ્રકના મોટા કારખાના હોવાથી (ઉદ્યોગમાં ઠીક ગણાય. તે કેવી રીતે કપાઈ, સાફ થઈ તૈયાર થાય છે. તે કારખાનામાં નજરે જોયું લગભગ પિણસો આદમી કામે લાગેલા. ખાણમાંથી નીકળેલા વનસ્પતિ ને કચરા સાથે મળેલા કાચા માલના ઢગ પડ્યા હતા. મકાન પણ એવું વિશાળ છે સંખ્યાબંધ અવર જવરના માર્ગે વાળું કે “ભૂતવખાર'ની ઉપમા હેજે આપી શકાય.” સફેદ ઉપરાંત અબ્રખની લાલ ને કાળી જાતો પણ આવે છે. મધુવન અહીંથી ૧૮ માઈલ છે. જવા સારૂ ગાડા તથા મેટરો મળે છે. સડક પાકી હોવાથી મોટર બસ કલાકમાં એટલે પંથ કાપી દે છે. ઉપર સામાન રાખવાની અને વીસ પેસેન્જરો બેસી શકે તેવી સગવડ હોય છે. સામાન ગિરીડીની ધર્મશાળામાં પણ રાખી શકાય છે. મધુવનથી પાર્શ્વનાથ સ્ટેશને થઈ કલકત્તા તરફ જવું હોય તો સામાન સાથે લઈ જવો અને જતાં જુવાલિકા કાંઠે દર્શન કરતાં જવા. જમી પરવારી ને નિકળતાં અંધારું તો થયું જ, એટલે જ્યારે મધુવન પહોંચ્યા ત્યારે લગભગ સાડા આઠ થયા હતા. ઠંડીનું ભાન પ્રથમ અહીં જ થયું. દિવાલ પર હાથ મૂકે તે જાણે બરફનો સ્પર્શ કર્યો સરખો અનુભવ થાય. વચલી કાઠી ક્ષેત બરીની છે જ્યારે એની ડાબી બાજુએ દિગંબરી (વીસપંથી) અને જમણી બાજુ યાને જતાં પહેલી આવે છે તે દિગબરી તેરાપંથીની છે. દરેકમાં એક કરતાં વધુ ને વિશાળ ધર્મશાળાઓ છે. સાથે સાથે સુંદર દેવાલય પણ છે. આપણું કઠીને વહીવટ કલકત્તાવાળા બાબુ સાહેબ મહાદુરસિંહજી હસ્તક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy