SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ લેખણું કહે લઈ હાથમાં લખજે સારા કામ ૨૬૯ નહિ તે પ્રભુની પાસમાં મારા મુમ સુખ સ્વામી સુંદર અને બારીક છે. પુતળીઓની ગોઠવણી, અંગમરોડ, હાવભાવ, ભારતની નૃત્યકળાને આબેહૂબ ચિનાર ખડે કરે છે. | મુખ્ય મંદિરનો જીર્ણોદ્ધાર કલામય રીતે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી લાખ રૂપિઆના ખર્ચ થયે છે તેનો પ્રતિષ્ઠા મહોત્સવ સં. ૨૦૧૦ માં આચાર્ય શ્રી વિજય ઉદયસૂરીશ્વરજીના હસ્તે ખુબ આનંદપૂર્વક થયે હતે. વકાણું રાણું સ્ટેસનથી ત્રણમાઈલ દૂર વરકાણાજી તીર્થ છે. અહીં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું પ્રાચીન બાવન જીનાલયનું ભવ્ય મંદિર છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ પ્રાચીન અને ભવ્ય છે. આ મૂનિ મહાર જા સંપ્રતિના સમયની છે. તેનું પરિકર પિત્તળનું છે જે પાછળથી બનેલું છે. મેવાડના અધિપતિ મહારાણું જગતસિંહજીએ તપાગચ્છાચાર્ય શ્રી વિજ્યદેવસૂરીજીના ઉપદેશથી વરકાણું તીર્થમાં પિષ વદિ ૮-૯-૧૦ના ભરાતા મેળાના દિવસોમાં લેવાતું મહેસુલ માર કર્યું હતું, યુગવીર આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીજીના ઉપદેશથી તથા આચાર્ય શ્રી વિજય લલિતસૂરીજીના પ્રયાસોથો વરસાણામાં શ્રી પાર્શ્વ નાથ જૈન વિદ્યાલય ગુરૂકુળ તથા હાઈસ્કૂલ ચાલે છે. નાડોલ વરકાણાથી ત્રણગાઉ દૂર નાડેલ તીર્થ છે. અહી સુંદર પ્રાચીન ચાર જિનમંદિર છે. શ્રી પદ્મપ્રભુનું મંદિર પાચીન છે, મોટા મંદિરની ભમતીમાં એક દેરીમાં ચોતરા ઉપર કસોટીના પત્થરમાં બનાવેલ ચામુખનું અખંડ દેરાસર છે તેનું કોતરકામ સુંદર છે. સુપ્રસિદ્ધ મહાપ્રભાવીક શ્રી માનદેવસૂરીજીએ લઘુશાન્તિ સ્તોત્રની રચના અહીં જ કરી હતી, ગામમાં બે ધર્મશાળા અને ત્રણ ઉપાશ્રય છે, નાડલાઈ નાડેલથી નાદુલાઈ ત્રણ ગાઉ દૂર છે. અહીં નાના-મોટા મળી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy