SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ અદેખા કેરી આંખમાં, કમળા કેરો રોગ; ૨૪૩ પીળું દેખે પરવશે, રોગ તણો સંયોગ. સંઘને સહકાર મલ્યો છે. જૈન શાસનના આદ્વિતીય શાસન પ્રભાવક સમર્થ બહુશ્રુત પૂ. પાદ ન્યાયાચાર્યા શ્રી. ઉપાધ્યાયજી મહારાજશ્રીને આપણુ પર અપાર ઉપકાર છે, તેઓશ્રી માટે આપણે જેટલું કરીએ એટલું ઓછું છે. ડભોઈમાં શ્રાવકના ૩૦૦ લગભગ ઘરો છે. જાહેર સ્થાનમાં હીરા ભાગોળ, તેજતલાવ, જનકિલ્લો, પુરાણી વાવ, ઈત્યાદિ અતિહાસિક અવશેષો દર્શનીય છે. ભરૂચ-પ્રાચીન લાટ દેશની પ્રસિદ્ધ રાજધાની ભરૂચ શહેર આજે તે કાળબલે પલટાઈ ગયું છે, મ, શ્રી મુનિસુવ્રત સ્વામીનાં શાસતમાં આ રથાન અતિહાસિક તીર્થભૂમિ તરીકે સુપ્રદ્ધિ હતું. મ. શ્રી મુનિસુવ્રતસ્વામી કેવલજ્ઞાન પામ્યા પછી અને બોધ આપવા, એક રાતમાં ૬૦ ગાઉને વિહાર કરી પ્રતિષ્ઠાપુરથી અહિં પધાર્યા હતા. ત્યારથી આ તીર્થ અશ્વાવબોધ મહાતીર્થના નામે પ્રખ્યાત થયું. આ રીતે સિંહલ દેશની રાજકુમારી સુદર્શન પૂર્વભવમાં અહીં સમળી હતી. અને નવકાર મંત્રના પ્રભાવે રાજકુમારી થઈ તેમ અહિં આવીને ભ. શ્રી. મુનિસુવ્રતસ્વામી ભવ્ય જિનમંદિર બંધાવ્યું જે, “ શકુનિવિહાર” તરીકે પ્રસિદ્ધિને પામ્યું. ભરૂચ શહેરનું જુનું નામ “ભગુચ્છ” પણ કહેવાય છે. જૈન ઈતિહાસમાં તો “ભરૂચ તરીકે આ ઓળખાય છે. સમસ્ત ભારતવર્ષમાં પુરાણું બંદર ભરૂચ છે. શ્રીપાલ મહારાજાના સમયમાં આજ શહેરમાં શ્રીપાલ મહારાજાને ધવલસેક મળ્યા હતા. ને તેમના વાંહણોને આ બંદરેથી જ શ્રીપાલ મહારાજાએ નવપદના પ્રભાવે સમુદ્ર માર્ગે હકરાવ્યા હતા. ચીન, જાપાન, જાવા, સુમાત્રા, એડન. આફ્રિકા, ઈત્યાદિ દૂરદૂરના પ્રદેશને સાથે આ બંદરનો વ્યાપાર વ્યવસાય ધમધોકાર ચાલતો હતો. છે. એક પરદેશી લેખક મી. હયુઈટ, ભરૂચના વ્યાપાર વાણિજ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy