SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ગાંજો પીતાં જગતમાં, લાજ ઘટે બહુવાર; ગંજેરી ફેકી કહે નિદે લેક અપાર. ૨૨૯ ડષભદાસજીએ આ શબ્દોમાં આલેખાય છે. ખંભાત શહેરમાં ૧૮ વર્ણન વ્યાપાર સોળ કળાએ ખીલ્યો હતો. ત્યાંના ઘનિકે સાધુપુરૂષનાં ચરણો પૂજતાં, વિવેક અને સુવિચારથી ત્યાં અઢારે વર્ણના લેકે રહેતા. ધનવાન લોકોના ઘરની સ્ત્રીઓ પટોળાં પહેરતી હતી. જ્યારે ધનિકો આંગળ પહોળા સોનાના કદરા, હીરાના કંદરા અને સોનાનાં સાંકળા પહેરતાં હતાં.' કવિ ઋષભદાસ આગળ વધતાં કહે છે – પંચ્યાશી જિનના પ્રાસાદ, ધ્વજ તરણુ તિહા ઘટાનાદ પિસ્તાલીશ જ્યાં પૌષધશાલ, કરઈ વખાણુ મુનિવાચાલ પડિકકમણું, પૌષધ પૂજાય, પુણ્ય કરતાં દા'ડા જાય, પ્રભાવના વ્યાખ્યાન જ્યાંહિ, સાહસ્મિ વલા હોઈ ત્યાંહિ ઉપસારો દહેરૂં જિહાંય અત્યંત નહિ તે હોય, ઠંડિલ ગોચરી સેહિલ્યાં અહિ. મુનિ પણ રહેવા હિંડે આંહિ. આ સ્થિતિ વિક્રમના ૧૭મા સૈકામાં ખંભાત શહેરની હતી. વિગ્ના ઠેઠ ૧૧ ના શતકથી માંડી. ૧૭ સિકા ઉત્તરોત્તર પ્રગતિ કરતાં ખંભાતે પોતાને યશસ્વીધ્વજ દિગંતમાં ફેલાવ્યો હતો. જન દેરાસરે: સ્થંભન પાર્શ્વનાથજી આ શહેરમાં આજે મુખ્ય મંદિર શ્રી થંભન પાર્શ્વનાથજીનું છે. શહેરમાં શ્રાવકેની ભરચક વસતિવાળા ગણુતા ખારવાડમાં આ રમણુય દેરાસર આવેલું છે આ પ્રતિમા ખૂબજ અતિહાસિક તથા પ્રભાવશાલી છે. ર૦મા તીર્થંકર શ્રી મુનિવ્રત સ્વામીના શાશ. નમાં શ્રી રામચંદ્રજી આદિને આ પ્રભુજીના પ્રભાવે સમુદ્રનું સ્થંભન થયું હતું. શ્રી નેમિનાથ ભ.ના નાળમાં કૃષ્ણ વાસુદેવ નાગકુમારદેવના પ્રભાવથી આ પ્રભુજીને દ્વારકામાં લાવ્યા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy