SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ તન જોગી સબ કરે, મન કે વીરલા હેય; ૨૧૭ સહેજે સિદ્ધિ પાઈએ, જે મન જેગી હોય. મંદિરને જેનાર પ્રત્યેકના હૃદયમાંથી ધન્ય શ્રદ્ધા તથા ધન્ય પ્રભુભક્તિના ઉદ્દગારો તેનાં નિર્માતાઓ માટે પ્રગટયા વિના રહેતા નથી. ૨૪ ગજ પ્રમાણુની ઉંચાઈવાળું ૩ર માળનું આવું સર્વાગ સુંદર દેવ મંદિર મહારાજા કુમારપાલે બંધાવ્યાનો ઉલેખ પ્રાચીન ઇતિહાસમાંથી આપણને મળે છે. શ્રી અજિતનાથ ભગવાન પ્રત્યે મહારાજા કુમારપાલને અપ્રતિમ શ્રદ્ધા હતી. એ શ્રદ્ધાથી પ્રેરાઈને આ મંદિરમાં તેમણે ૧૦૧ આંગળની ઉંચાઈવાળા શ્રી અજિતનાથ પ્રભુને પ્રતિષ્ઠિત કરી બિરાજમાન કર્યા હતા. પણ પાછળથી સંભવિત છે કે, પરમહંત કુમારપાલ મહારાજાના ભત્રીજા અજયપાલના રાજ્યમાં કે અલાઉદ્દીન ખીલજીના કાળમાં આ મંદિરનો નાશ થયો હય, મૂલનાયક પ્રતિમા જીને ખંડિત કર્યો હોય, જેથી વિ. સં. ૧૪૬૬માં આ મંદિરના -જીર્ણોદ્ધારની સાથે મૂલનાયક શ્રી અજિતનાથ ભગવાનનાં નવાં બિંબ અહિં પ્રતિષ્ઠિત કર્યો છે. આ જીર્ણોદ્ધાર તથા પ્રતિષ્ઠા કરાવનાર ઈડરના ગોવિંદ સંઘવી નામના સુશ્રાવક છે. તેઓ ઈડર રાજ્યના રાણુ પુંજાજીના ખાસ માન્ય અને સંધના અગ્રેસર વત્સરાજ સંધવીના પુત્ર હતા. તે કાળમાં વિદ્યમાન તપાગચ્છીય આચાર્ય મ. શ્રી સેમસુંદરસૂરિના અનન્ય ભક્ત હતા. એટલે હાલ જે પ્રતિમાજી મૂલનાયક તરીકે બિરાજમાન છે તે વિ. ના ૧૫ મા સૈકામાં પ્રતિષ્ઠિત થયેલા છે. મંદિર મહારાજા કુમારપાલના સમયનું હોવું સંભવિત છે. જેનો જીર્ણોદ્ધાર કરાવી શેવિંદસંઘે પ્રભુજીને બિરાજમાન કર્યા હોય એમ લાગે છે. આ તીર્થ વસ્તુપાલ-તેજપાલના સમયમાં પણ પ્રસિદ્ધ હતું. અને તે સમયે પણું મૂલનાયક શ્રી અજિતનાથ ભગવાન હતા. એમ વિ. સં. ૧૨૮૪૮૫ની સાલમાં વસ્તુપાલ–તેજપાલ ભાઈઓના હાથે અહિં પ્રતિષ્ઠિત ચયેલા અનેક પ્રતિમાજી પરના શિલાલેખ પરથી જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy