SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ ઉભરે દુધને .જે ચડે, ઉછળી ઉછળી જાય; પણ તે પાછે બેસતાં, એાછું મુળથી થાય. નાં સુંદર પ્રતિમાજી છે, પરંપરાની ચાલી આવતી દંતકથા પ્રમાણે લગભગ એક હજાર વર્ષથી અહીં અખંડ દી વેબ છે. છેલા જીર્ણોદ્ધાર વિ. સં. ૧૯૦૦માં અહિં થયું છે. સ્થાન દર્શનીય છે. શ્રાવકોનાં ૩-૪ ઘરે છે. ધર્મશાળા છે. ઉપરીયાળા-ગુજરાતના રેલ્વે જંકશન વીરમગામથી ૧૩ માઈલ દૂર ઉપરીયાળાજી તીર્થ આવેલું છે. અહિ ગામના નાકા પર શ્રી, ઋષભદેવ પ્રભુનું સુંદર મંદિર આવેલું છે. વિ. સ. ૧૯૧૯માં લગભગમાં શ્રી આદીશ્વર પ્રભુની તથા અન્યાન્ય ૪ પ્રતિમાજી જમીનમાંથી નીકળેલા હતા. ત્યારબાદ અહિં એક જિનમંદિર બંધાવ્યું અને તેમાં આ બધા પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી આ તીર્થ આમ લગભગ બે સૈકા પૂર્વનું છે. કારણ કે, ૧૮મી શતાબ્દિમાં રચાયેલી તીર્થમાળામાં ઉયરીવાયજી તીર્થને ઉલેખન આવે છે. મંદિર રમણીય તથા ભવ્ય છે. હાલ ઉયરીવાળા તીર્થ દરેક રીતે અદ્યતન સાધન સામગ્રીથી અનેક અનુકુળતાઓવાળું છે. પ્રારંભમાં આ તીર્થને પ્રકાશમાં લાવવા આ.ભ.શ્રી વિજયધર્મ સુરીશ્વરજી તથા તેઓના શિષ્ય આ. ભ. શ્રી વિજથભક્તિસુરીશ્વરજીએ પ્રશંસનીય પ્રયત્નો કરેલા. તેઓની જ શુભ પ્રેરણાથી ફા. સુદિ ૮ના અહિં મોટો મેળો ભરાય છે. દિન-પ્રતિદિન તીર્થસ્થાનને વધુ સર્વાગસુંદર કરવા મંદિરના જીર્ણોદ્ધારનું કાર્ય શરૂ થયું. અત્યારસુધી વીરમગામના શ્રી સંઘદ્વારા નીમાયેલી કમિટિ આ સ્થાનનો વહિવટ કરતી હતી. - ત્યારબાદ અમદાવાદના ધર્મપ્રેમી સેવાભાવી કાર્યકર શ્રીયુત ચીમનલાલ કેશવલાલ કડિઆ વ્યવસ્થાપક કમિટિમાં જોડાતા ઉપરીયાળા તીર્થની વ્યવસ્થા આદિમાં સુંદર સુધારે થયો. મંદિર જે હાનું હતું તેની હારને એક વિશાલ બન્ય, મંદિરની અંદર કાચનું કામ તથા ચિત્રો, પ આદિનું સુંદર ચિત્રકામ થયું. દેરાસરની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy