SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ વિદ્યા ધન સુખ સાહિબી, સગુણનો સમુદાય; નેકીસે સબ આત હે, ઔર બદીસે સબ જાય. સુંદર જિનમંદિર તથા શ્રાવકેના સેંકડો ઘરે હતાં. વિ. ના ૧૮. મા સૈકા સુધી આ સ્થળ જૈન ઇતિહાસમાં તીર્થ તરીકે પ્રસિદ્ધ હતું એવા ઉલ્લેખ મળે છે. પણ મેંગલોના કાલમાં તથા રાજ્યસંક્રાંતિના સમયે જેમ અન્ય એતિહાસિક સ્થળો માટે બન્યું છે, તેમ સંભવિત છે કે, શેરીસા માટે પણ બન્યું હોય. એટલે ત્યાર પછીના કાળમાં આ તીર્થ લુપ્તપ્રાયઃ બન્યું. છેલ્લે થોડા વર્ષો પૂર્વે શેરીસા ગામમાંથી પ્રભુ પાર્શ્વનાથજીનાં શ્યામ કાંતિવાળા પ્રભાવિક ૩ અદભૂત પ્રતિમાજી નીકળ્યા. આ પ્રતિમાજીને ૫૫રાવવા માટે ત્યારબાદ સુંદર જિનમંદિર શેઠ સારાભાઈ ડાહ્યાભાઈએ તૈયાર કરાવવા માંડ્યું. પૂ. આચાર્ય શ્રી વિજયનેમિસૂરિશ્વરજી મહારાજની પ્રેરણાથી શેઠ સારાભાઈની ભાવના જિનાલયનું મનહર મંદિર તૈયાર કરવાની હતી. પિતાના હાથે પ્રભુજીને પધરાવવાની પણ એમને અભિલાષા હતી. આ તીર્થ પ્રત્યે તેમને સારી આસ્થા હતી, પણ કાળબળે તેઓનું અવસાન થતાં, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી હસ્તક દેરાસરનું બાકીનું કાર્ય પૂર્ણ થયું અને વિ. સં. ૨૦૦૨ ના વૈશાખ સુદિ ૧૦ ના પૂ. આ. ભ. શ્રી વિજયનેમિસૂરિશ્વરજી મ.ના વરદ હસ્તે પ્રતિષ્ઠા થઈ. દિનપ્રતિદિન આ તીર્થની જાહોજલાલી વધની આવે છે. દેરાસરની જમણું બાજુએ સુંદર ધર્મશાળા બંધાયેલી છે. ચોમેર પથરનું કંપાઉન્ડ વિશાલ ચોક છે. તીર્થની વ્યવસ્થા માટે પેઢીની ઓફિસ છે. યાત્રાળુઓને ભાતું અપાય છે. છેલ્લા ૧૪ મહિનાથી ભેજનશાળા શરૂ થઈ છે. ભોજનશાળાની વ્યવસ્થા અમદાવાદની કમિટિ કરે છે. કમિટિ તરફથી કલેલથી શેરીસાની મોટર સવસ ચાલુ છે. આ તીર્થ સ્થાન એકાંતમાં છે. દુનિયાની બધી ઉપાધિઓથી મુક્ત થઈ શાંતચિત્તે દિવસે પસાર કરવાની ભાવનાવાળા માટે આ સ્થાન અનુકૂલ છે. અહીં શ્રાવકની વસતિ નથી. મંદિરમાં જતાં ચિત્ત ઠરે તેવું છે. શ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy