SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ વાણું પાછું બે સદા, પવિત્રતા કરનાર; લલના લાલચ બે સદા, આપદના દાતાર. પિળમાં દેરાસરો છે. સદાસોમજીની પળનું દેરાસર શેઠ સદા–સોમજીએ બંધાવેલું છે. આ દેરાસરમાં ભયરામાં ઉપર તથા બાજુમાં પ્રભુજી બિરાજમાન છે. શ્રી સિદ્ધગિરિપર નવ ટૂંકમાં હેટી ટૂંક જે ચૌમુખજી ટૂંકના નામે એસખાય છે, તે ટૂંક બંધાવનાર તથા ચૌમુખજીની મૂલનાયકની પ્રતિષ્ઠા–અંજનશલાકા કરાવનાર સાદા-સમજી શેઠ અમદાવાદ શહેરમાં આ પોળમાં રહેતા હતા. વિ. સ. ૧૬૭૫ની સાલમાં તેમણે ચૌમુખજીની ટૂંક બંધાવ્યાનો ઉલ્લેખ છે. ત્યાંથી ધનાસુતારની પિળ હાર નીકળતાં કાલુપુર દરવાજે જતાં રસ્તામાં ભંડેરી પિળમાં વાણિયા શેરીમાં શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર છે. શહેરના મુખ્ય રસ્તા રીચીરોડ પર શ્રી મહાવીર સ્વામીના દેરારરથી આગળ વધતાં ચાર રસ્તા પહેલાં પાડાપોળ આવે છે. આ પોળમાં આરસપહાણના પત્થરોથી બંધાવેલું શ્રી નેમિનાથ ભગવાનનું સુંદર દેરાસર છે. દેરાસરમાં વિશાલ રંગમંડપ છે. ભોંયરામાં પણ પ્રભુજી છે. ચાર રસ્તાના નાકે જમણું બાજુ પર ઉપરના મજલે હાનું પણ ભજલે નહીનું પણ રમણીય શ્રી સંભવનાથ ભગવાનનું દેરાસર છે. ત્યાંથી આગળ વધતાં ખાડીયામાં સદાવ્રતની પિાળમાં એક દેરાસર છે. પરાના મંદિર શહેરના મધ્ય ભાગમાં આવેલા આ બધા સંખ્યાબંધ જૈન મંદિરો તેની ભવ્યતા. સ્વચ્છતા તથા રમણીયતાથી શહેરની શોભા તથા ગૌરવને ઓપ આપી રહ્યા છે. તદુપરાંત, શહેરના પરારૂપ ગણાતા શહેરના લત્તાઓમાં પણ સંખ્યાબંધ જૈન મંદિર આવેલાં છે. પરાઓમાં શાહપુર અને સારંગપુરમાં જેનેની વસતિ સારી સંખ્યામાં છે. શાહપુરમાં મંગળપારેખના ખાંચામાં નાકાપર શ્રી સંભવનાથ તથા શ્રી પાર્શ્વનાથના હામરહામા બે દેરાસરો છે. યુના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy