SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ધન મેળવતાં દુઃખ છે, સાચવતાં પણ દુઃખ; ૧૬૧ જે આવેલું જાય તે, જાય સમુળું સુખ. નિરંતર આવતા રહે છે. ત્યાંથી સડકનો ઢાળ ઉતરી ડોશીવાડાની પિળમાં પેસીએ ત્યારે ડાબી બાજુયે આષ્ટાપદજીનું દેરાસર છે. પાછળના ભાગમાં નંદીશ્વર દીપની આરસના પત્થર પર રચના છે. તેમાં બાવન દેરીઓમાં પ્રભુજી બિરાજમાન છે. દેરાસરની બાજુમાં વિદ્યાશાળામાં ઉપર શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું ન્હાનું દેરાસર છે. કસુંબાવાડામાં હમણાં જે મંદિરને નવેસરથી જીર્ણોદ્ધાર થયે. તે શ્રી આદીશ્વર ભગવાનનું સુંદર દેરાસર છે. દોશીવાડે–ગોસાંઈજીની પોળમાં શ્રી સીમંધર સ્વામીનું દેરાસર રમણીય છે. તેમજ ભાભા પાર્શ્વનાથનું દેરાસર પણ સુંદર છે. ફતાસાની પિળ, ભઠ્ઠીની બારી, આ બધે કુલ ૫ મનોહર જિનમંદિરો આવેલાં છે. ત્યાંથી આગળ વધતાં ખેતરપાળની પોળ, ઘાંચીની પોળ, મુહૂર્ત પિન દાઈની ખડકી, રૂપા સુરચંદની પોળ, લુવારની પળ, ગુસાપારેખની પિળ, શામળાની પળ, વાઘેશ્વરની પાળ, કામેશ્વરની પોળ, ઢાલની પળ, ધનપીપલીની ખડકી, આ બધેય જેનોની હેોટી વસ્તી તથા સુંદર દેરાસરે આવેલાં છે. આટલામાં લગભગ ૧૫ દેરાસરો આવ્યાં છે. શહેરની મોટામાં મહેદી પિળ જે માંડવીની પાળ કહેવાય છે. આ પળમાં દેરાસરે સારી સંખ્યામાં છે. આમાં મેટી પળ નાગજી ભુધરની પોળ ગણાય છે. આ પોળમાં બે દેરાસરે છે. આમાં મહેસું દેરાસર ત્રણ માળનું છે. ત્યાંથી આગળ વધતાં લાલાભાઈની પોળ, સુરદાસ શેઠની પોળ, કાકાબળીયાની પોળ આ બધે એકેક દેરાસર છે. શ્રી સમેતશિખરજીની પિળમાંનું દેરાસર કે જેને હમણું જીર્ણોદ્ધાર થયો છે. આ દેરાસર સારાયે શહેર માટે તીર્થ" તરિકે પ્રસિદ્ધ છે. શ્રી પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના છેલ્લા સંવત્સરીપર્વના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy