SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ જ્ઞાન સમું કોઈ ધન નહિ, સમતા સમું નહિ સુખ; જીવીત સમ આશા નહિ, લેભ સમું નહિ દુખ. ત્યાંથી કુબેર પાસે રહ્યા હતા. બાદ વરૂણદેવ પાસે રહ્યા હતા. આજે પ્રતિમાજીને લાલ લેપ કરે છે. દેરાસરનો રંગમંડપ તથા પ્રભુજીને ગભારે આ બધું ત્યાંનું વાતાવરણ ખૂબ જ શાંત અથા આત્માને આહાદક છે. ગામમાં એતિહાસિક પ્રાચીન અવશેષો ઘણા મલી રહે છે. અત્યારસુધીમાં આ તીર્થના ચૌદ ઉદ્ધાર થયા છે. ધર્મશાળાની બહાર અજયપાલના ચેરો જુનો કહેવાય છે. અહિં અમૂક ઝાડના પાલાઓ થાય છે. જે ગમે તેવા ઘા પર બાંધવાથી તરત રૂઝ આવે છે. જે અજયપાલના પાન કહેવાય છે. આજુબાજુ વા ઘણી છે દેરાસરમાં જુના સમયનો ઘંટ વગેરે અવે છે. દેલવાડા–અજારાથી દોઢ માઈલ પર દેલવાડા ગામ છે. અહિં બ્રાહ્મણે કળ આદિની વસતિ છે. આ બધા પહેલા જેને હતા આ કપિલના પૂર્વજોએ બંધાવેલું. સુંદર જિનમંદિર અહિં છે. મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથજી છે. કાજુમાં ધર્મશાળા છે. ગામમાં જૈનોનું યર એકે ય નથી. દીવ બંદર ઃ હિંદભરમાં પોર્ટુગીઝોની માલિકીના ૩ બંદર ગણાતું હતું. દીવ, દમણ અને ગોવા” તેમાં દીવ તે આજ દીવ બંદર જે અજારાથી ૬ માઈલ થાય છે. આ નગર પ્રાચીન છે. અહિં જેની વસતિ ઘણી હતી. જૈન સંઘનો વૈભવ અહિં ખૂબ જ હતો. દીવના સંઘે શ્રી સિદ્ધાચલજીની યાત્રાનો સંઘ કાઢ્યો હતે. અને વિ૦ સં૦ ૧૬૫૧ માં પૂ૦ પાદ હીરસૂરીશ્વરજી મ. ને ચાતુર્માસની વિનંતિ કરી હતી. આજે મૂર્તિપૂજક જૈનનું ઘર એક્ય નથી. સ્થાનકવાસીઓના ૧૨-૧૫ ઘરે છે. કપોલેની તથા, સોરઠ વાણીયાની વસતિ છે. પણ આ બધા એડન, આફ્રિકા, તેમજ મુંબઈ વગેરે સ્થાનમાં છે. અહિં તો માનવ વસત્તિ બહુ જ ઓછી છે. દીવ આવવા માટે દેલવાડાથી ઘેઘલા સુધી સડક, બાદ દરિયાની ખાડી નાવ દ્વારા લંઘીને દીવમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy