SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ કંચન તજ સહેલ છે, સહજ ત્રિયા કો સ્નેહ; ૧૩૭ માન બડાઈ ઈર્ષા, દુર્લભ તજની એહ. બારેજા પાનાથજી-માંગરોલથી પોરબંદર જતાં ૨૫ સાઈલ પર બારેજા–બલેજા ગામ આવે છે. અહિં શ્રી બારેજા પાર્થ નાથજીનું સુંદર મંદિર છે. આ મંદિર તીર્થ ગણાય છે. પૂર્વકાલમાં આ રસ્તેથી દરિયા ભાગે કેટલાક વ્યાપારીઓના વહાણો દૂર દેશમાં જતા હતા. આટલામાં તેઓના વહાણ થંભ્યાં. અને સમુદ્રમાંથી પાર્શ્વનાથ પ્રભુનાં ચમત્કારિક બિંબ પ્રગટ થયાં. એટલે આ ગામમાં તેઓએ મંદિર બંધાવીને પ્રભુજીને બિરાજમાન કર્યા. પ્રતિમાજી પ્રાચીન તથા પ્રભાવશાલી છે. ધર્મશાળા છે. વિશાલ ચોક છે. ગામમાં શ્રાવકોની વસતી નથી. પોરબંદરનો સંઘ તથા માંગરોલને સંધ, આ બાજુ આવનાર સાધુ-સાધ્વી આદિની વિહાર માટે વ્યવસ્થા કરે છે. • પોરબંદર–અહિંથી ૨૫ માઈલ છે. ત્યાં ત્રણ દેરાસરો, ઉપાપ્રિય તથા પાંજરાપોળ છે. અહિંથી માણવદર ૫ માઈલ છે. અહિં ૨ દેરાસરો તથા ઉપાશ્રય છે. સાધુ-સાધ્વીના ચાતુર્માસ અવારનવાર થાય છે. અહિંથી જામનગર ૬૦ માઈલ થાય છે. વચમાં લાલપર, હળાસંગ, રાસંગપર વગેરે જેનેની વસતી તથા દેરાસરો પણ છે. ચોરવાહ–સૌરાષ્ટ્રને નાઘેર પ્રદેશ બહુ જ ફળદ્રુપ ગણાય છે. ચોરવાડ એ નાઘેરના મધ્ય ભાગ છે. અહીં મેર, પાન, કેળા, નારીયેલી, પપૈયા, કેરી આદિની વાડીઓ સંખ્યાબંધ આપણને જોવા મળે છે. ગામમાં ચારે બાજુ કોટ છે. કોટની અંદર મધ્યભાગમાં જિન મંદિર છે. મંદિર નાનું પણ પ્રાચીન છે. મૂળનાયક શ્રી પાશ્વ નાથ ભગવાન છે. મંદિરમાં.વિ. ના ૧૬ મા સૈકાના સમયને દેરાસરની તિષ્ઠાનો શિલાલેખ છે. દેરાસરની બાજુમાં ઉપાશ્રય તથા ધર્મશાળા છે. હાલ શ્રાવકોની વસતી ખાસ નથી, ગામ બહાર સડક છે. “હરખ સુવન” નામની જૈન સેનેટરી છે, જે વેરાવલના શેઠ માણેકચંદ હરખદે બંધાવેલી છે. દેરાસરની વ્યવસ્થા માંગરોલને જૈનસંધ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy