SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ કર ભકિત કીરતારની, કર પરમારથ કામ; ૧૧૯ કર સુકૃત જગમેં સદા, રહે અવિચલ નામ. છે. આ રસ્તો સુધારો માંગે છે. ભરત ચક્રવર્તી આ સ્થાને અનશન કરીને મોક્ષે ગયા છે, તેમનો હાથી પણ અહિં અનશન કરી સ્વર્ગ ગયેલ છે. ઉપર સુંદર દેરી છે. અહિંથી જાળીયા થઈ પાલીતાણા જવાય છે. શ્રી શત્રુંજયની અનેક પાગ ગણાય છે. તિમાં ઘેટીની પાગ, રહિશાળાની પાગ, તથા શત્રુંજય નદીની પાગ મુખ્ય ગણાય છે. રામપોળથી નીકળતાં ડાબી બાજુને રસ્તો સીધે જે પૂર્વ બાજુ જાય છે. તે જીવાપર ગામ થઈ શત્રુંજયનદીની તરફ જાય છે. નદીના કિનારે પ્રભુજીનાં પગલાં છે. હમણું આ સ્થાનને જિર્ણદ્ધાર થયે છે. દેરીને ફરતે કોટ થયો છે. પાલીતાણામાં દેરાસર તથા ધર્મશાળાઓ–હિંદભરના જેનેનું એક અનુપમ યાત્રા ધામ અહિં હોવાથી પાલીતાણુમાં જૈન ધર્મશાળાઓ સખ્યાબંધ છે. શહેરમાં પણ શેઠ હેમાભાઈની મતીશાની, વરા અમરચંદ જસરાજની તથા શેઠ સુરજમલની તેમજ સાત ઓરડાની ઈત્યાદિ સંખ્યાબંધ ધર્મશાળાઓ છે. તદુપરાંત રણશી દેવરાજની, મહાજનનો વડે, નરસી નાથાની, કેશવજી નાયકની, મોતી સુખીઆની, નગીન કપુરની, ઘોઘાવાળી, ચાંદભુવન, ચંપા નીવાસ, કંકુબાઈની, ખુશાલ ભુવન. પુરબાઈની દેવસી પુનસીકી મગન મોદીની, જીવનનિવાસ બ્રહ્મચર્યાશ્રમ, જશકારની, પન્નાલાલની, કોટાવાળાની, પંજાબી ભુવન. માધવલાલની. પાટણવાડાની તથા આરીસાભુવન, નહારબિલ્ડીંગ ઈત્યાદિ સંખ્યાબંધ ધર્મશાળાઓ છે; પણ આ બધી ધર્મશાળાઓના વહિવટમાં અનેક પ્રકારની ફરિયાદો ઉભી છે. ધર્મશાળા બંધાવનારાજ ઉદારતાપૂર્વક વહિવટ કરે અને મુનીમ તથા માણસોને ઉદારતાથી નભાવે તે હેટા દિવસોમાં યાત્રાળુઓને જે નિરર્થક હેરાનગતી ભોગવવી પડે છે. તેમાં જરૂર રાહત મળે. આજે તો આ બધું કઈ રીતે ઈષ્ટ નથી પણ થાય શું ? સગાજમાં સંગઠ્ઠન, નૈતિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy