SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - નર જન્મ સુંદર પુન્યથી, પામ વૃથા ખાશો નહિ; ૧૧૧ વીર પુત્રો ધમ કરતાં, દુઃખને જ નહિ. થઈ છે. હામે પુંડરીનું દેરાસર છે. આ સિવાય અન્ય ચાર દેરાસર અહિં છે. અદભુત શ્રી આદિનાથજીનું મંદિર–આખાએ ગિરિરાજ પર આ મૂર્તિ અદ્દભુત છે. આ પ્રતિમાજી ૧૮ ફૂટ ઉંચા બેઠેલા એક ઢીચણથી બીજા ઢીંચણ સુધી ૧૪ ફૂટ પહોળો છે. આ મૂર્તિ, પહાડના પથ્થરમાંથી કોતરીને જ અહિં બિરાજમાન કરી છે. વિ. સ. ૧૬૮૬માં ધરમદાસ શેઠે આ પ્રતિમાજીની અંજન શલાકા કરાવેલ છે. આ સ્થાન પરથી દાદાની ટૂંક બધા મંદિરોનું નૈસર્થિક દર્શન થાય છે. આ બાજુથી અહિં જિનમંદિરોને જોતાં ક્ષણભર થઈ જાય છે કે, ખરેખર ભક્તિ, શ્રદ્ધા એ માનવને પણ દેવી બલ સમર્પે છે. કે જેના યોગે આવા સુંદર જિનમંદિરે પહાળની ટોચ પર ઉભાં થઈ શકે છે. - શેઠ પેપચંદ મેદીની ટુંક–અમદાવાદ નિવાસી શેઠ પ્રેમચંદ લવ મેઢીએ અહિં મંદિર બંધાવ્યા છે. મૂળનાયક શ્રી આદીશ્વર ભ. બિરાજે છે. તેઓએ અમદાવાદથી સંધ સાથે અહિં આવી. વિ. સ. ૧૮૪૩માં મંદિરમાં પ્રતિષ્ઠા કરાવી છે. આ ટુંકમાં ૭ મંદિર છે. અને લગભગ ૫૦–પર દેરીઓ છે. આ ટુંકમાં પેસતાં જમણી બાજુ પર સહસ્ત્રફણુ પાર્શ્વનાથજીનાં પ્રતિમાજી અદ્ભુત છે. આ દેરાસર સુરતના શીરચંદ ઝવેરચંદે વિ. સ. ૧૮૬૦માં બંધાવ્યું છે. સ્વાસે દેરાણી જેઠાણું ગોખલા સુંદર કોતરણીવાળા છે. આ ટંકની વ્હાર કુંડ છે. અંદર ખેડીયાર દેવીનું સ્થાનક છે. હેમાભાઈ શેઠની ક–અમદાવાદના નગરશેઠ કુંટુંબના પુણ્યવાન નબીરા શેઠ હેમાભાઈએ આ ટુંક બંધાવી છે. મૂલનાયક શ્રી અજિતનાથ ભગવાન છે. તથા ગચ્છાધિપતિ શ્રી હીરસૂરીશ્વરજીના સમયમાં શત્રુંજય પહાડને કબજે અમદાવાદના નગરશેઠ શાંતિદાસને સેપાયેલ. એને વહીવટ અમદાવાદનું નગરશેઠ કુટુંબ કરતું હતું તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy