SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ મુખ નયન અરૂ નાસિકા, સબ હિ કે એક ઠેર; કહેવું સુવું દેખવું, ચતુર કછુ ઓર. અધિકારીઓને તેમજ રાજા મહારાજાના મકાનોની હાર છે. પ્રથમ દર્શને ગોળાકાર મકાન જણાય છે એ જ “એસેમ્બલી હેલ" ભાગમાં ભોંયરુ, ચારે બાજુ મજબૂત લોખંડના સળીઓવાળી ને કાચના બારણવાળી જાળીઓ છે. મુખ્ય દ્વાર જેવા કરતાં ત્રણ ધારે જુદી જુદી દિશામાં છે. પાંસ વગર ઉપર જોવા જઈ શકાતું નથી. એની પાછળ સેક્રેટરીકટની ઓફિસો ને જમણી તરફ વાઈસરોય સાહેબની કોઠી છે. બાંધણીમાં પૈસા પાણીના મૂલ્ય ખરચ્યા છે આ હેલના એક વેળા વીઠલભાઈ પટેલ સર્વસત્તાધીશ હતા એ વાત અહીં પગ મૂકતાં યાદ આવે છે. આજે રાજાજી વાઈસરાય તરીકે એમાં વિરાજે છે. પ્રધાન મંડળની કચેરીઓ પણ એમાં જ છે નામદાર નિઝામ તેમજ ગાયકવાડના બંગલાઓ ઊડીને આંખે વળગે તેવા છે (૩) કુતુબમિનાર-દિલ્હીથી ૧૧ માઈલ દૂર આ મિનારો જંગલના ભાગ તરફ છે. રસ્તે સંખ્યાબંધ ખંડિયેરો, મુસ્લીમ રાજ્યકાળના દષ્ટિગોચર થાય છે. કમ્પાઉન્ડમાં જીણું શીર્ણ દરવાજા ને નાના મોટા કારીગરીવાળા મકબરા છે. તૂટીફૂટી છતાં કળાપૂર્ણ જાળીઓ આજે પણ ભૂતકાળની યશગાથા ઉચ્ચારે છે. એક ભાગ પર લગભગ ચૌદ માળ જેટલો ઊંચો મિનારો કુતુદ્દીન બાદશાહની યાદ કરાવતે ઊભો છે. એના બે મજલા નુકશાન થવાથી ઉતારી નાખ્યા છે. લગભગ ૩૭૫ પગથી આ ચઢળ્યા બાદ ટોચે પહોંચાય છે. જ્યાંથી દૂર નજર ફેકી શકાય છે કાલિંદી-યમુના દૂર વૃક્ષરાજજીમાં સંતાયેલી દેખાય છે. નજીકમાં મંદિરના જૂના અવશેષો જતાં પૃથ્વીરાજ યાદ આવે છે. મસીદ જતાં મુસ્લીમ રાજાઓની સ્મૃતિ તાજી થાય છે. તૂટેલા ખંડિયેરમાં એક કીર્તિસ્તંભ છે. એ પર કાટ વળતો નથી. સામે જોગમાયાનું મંદિર ને ભુલભુલૈયાના જૂના સ્થાનો છે. (૪) સફદરજંગદિલ્હીથી ત્રણેક માઈલ પર લાલ પત્થર ને આરસથી બાંધેલું આ મકાન આવેલું છે. આઉધના પ્રધાનનું આ નિવાસસ્થાન હતું. આજે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy