SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ નિંદત ધાબી બે જણ, ધવત હે સબ મેલ; ધોબી કમાઈ કરત હે, નિંદક ઠેલમ કેલ. દિગં ધર્મશાળાઓ છે. કટરા મહોલ્લામાં વિશાળ કટની મધ્યમાં એક દેવાલય ખડું છે. જીર્ણોદ્ધારથી નવીન સ્વાંગ સજી રહ્યું છે. શિખરથી શોભતું ને ભૂમિગૃહથી યુકત મંદિર છે, તે શ્રી અજિતજિનનું. એમાં બીજા પણ બિંબો છે. સામે સમવસરણ આકાર પરની દહેરીમાં શ્યામવર્ણ ચંદ્રપ્રભુ તેમજ શ્રી અભિનંદન સ્વામી છે. ખૂણ પરની દેરીઓમાંથી પાદુકાઓ લાવી હાલ અહીં તેમજ પ્રથમના દહેરામાં મૂકેલી છે. કેટલાકમાં ચાર જેડી તે કઈમાં પાંચ જોડી પગલાં આલેખેલાં અને શ્યામવર્ણ પાષાણના છે. ચાર દેવીઓની સુંદર મૂતિઓ, ભેંયરામાં પબાસન તથા દાદાજીની પાદુકા પણ છે. વીર પ્રભુના ગણધર અચળભ્રાતા આ ભૂમિના જ વતની હતા. જિનાલયથી અ માઈલ ઉપરાંત ચાલતાં બજાર આવે છે. ત્યાંથી સ્ટેશન મા માઈલ છે. સ્ટેશનથી બજાર જતાં જમણા હાથે વિશાળ બાગ, મંદિર, ને આઉધ નરેશને મહેલ છે. આજે પણ હિંદુઓના નાના મોટા સેંકડો મંદિર-કુંડ આદિ નજરે પડે છે. બજારમાં જમણે હાથની સડકે જતાં સરિતાતટ પર પહોંચાય છે. કાંઠા પર મંદિરોની હારમાળા છે. ૦–૧–૦ ટોલ ટેક્ષ) ભરી, પૂલ પર થઈ સામેની નાની લાઈનના સ્ટેશન પર જવાય છે. ડાબા હાથે જતાં એક ગલી માગે “ હનુમાન ગાદી” આવે છે. ત્યાંથી આગળ જતાં કનક ભુવન, રત્ન સિંહાસન ને સીતાજીની રસોઈ આદિ નામથી પંકાતા વિશાળ હિંદુ મંદિરે ને ફરતી પુષ્કળ જગાઓ છે. આ બધા સ્થાનમાં મોટે ભાગે શુંગાર(પ્રધાન દૃશ્ય નજરે પડે છે. ૨. ફેજાબાદ–અહીંથી ત્રણ માઈલ દૂર છે. રેલ માર્ગે જવાય છે. અમે સ્વારી દીઠ -૪-૦ કરી ઘોડાના ટાંગામાં ગયા. માગે આવતાં મકાનો, દર ખેતરમાંના ખંડિયેરો અને દરવાજા પરના બુરજો તથા ઊંચા મિનારા જોતાં મુસ્લીમ રાજ્યકાળ યાદ આવે છે. બજાર પણ મટે છે. નજદીકની એક ગલીમાં શ્રી શાન્તિનાથનું દહેરું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy