SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ : બંઘન કોણ?પરિગ્રહની મમતા કે બન્નેથ? અનંત ઉપકારી ચરમતીર્થપતિ, શ્રમણ ભગવાન શ્રીમહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા પંચમ ગણધર ભગવંત શ્રીસુધર્માસ્વામીજી મહારાજાએ દ્વાદશાંગી પૈકીના બીજા સૂયગડાંગ નામના અંગ આગમના માધ્યમથી જંબુસ્વામીજીને આત્મ જાગૃતિનો સંદેશો સંભળાવ્યો છે. એ સંદેશો સંભળાવ્યા પછી સુધર્માસ્વામીજીએ કહ્યું, “બંધનને દરેક રીતે ઓળખો અને તેને તોડવાનો પુરુષાર્થ કરો. આ ઉપદેશ સાંભળીને જંબુસ્વામીજીએ જ્યારે સુધર્માસ્વામીજીને પૂછ્યું કે, “ભગવાન મહાવીરદેવે બંધન કોને કહ્યું છે? તેને શી રીતે તોડી શકાય? તેના જવાબમાં તેમણે ત્રણ પ્રકારનાં બંધનો બતાવ્યાં છે. ૧ - પરિગ્રહ, ૨ – હિંસા, અને ૩ - મમત્વ. હિંસાની સાથોસાથ અસત્ય, ચોરી અને મૈથુન - એ પણ બંધન છે જ, એમ 'प्राणातिपातस्य चोपलक्षणार्थत्वात् मृषावादादयोऽपि વન્યતવો દ્રષ્ટવ્ય તિ !' હિંસાના ઉપલક્ષણથી અસત્ય વગેરે પણ બંધના કારણો છે એમ જાણવું.' એ પદ દ્વારા ટીકાકાર મહર્ષિએ સ્પષ્ટ કર્યું છે. આત્માને નિરંતર કર્મનું બંધન વળગે છે. તેમાં આ પરિગ્રહ, હિંસા અને મમત્વ નિમિત્ત બને છે. પરિગ્રહ-હિંસા અને મમત્વની સાથોસાથ અસત્ય, ચોરી અને મૈથુન પણ આત્માને નિરંતર બાંધવાનું કામ કરે છે. આપણી પાસે વિશિષ્ટ જ્ઞાન નથી. તેને કારણે આપણે નથી આત્માને જોઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004866
Book TitleSuyagadanga Sutrana Sathware Part 3 Bandhan Jano Bandhan Todo
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy