SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન-સ્ત્રોત 'सयं तिवायए पाणे, अदुआ अण्णेहिं घायए । हणतं वाणुजाणाइ, वेरं वडइ अप्पणो ।।३।।' ‘જે કોઈ સ્વયં જીવને મારે છે અથવા અન્યની પાસે મરાવે છે કે મારનારને અનુમોદન આપે છે, તે (તે મરનાર જીવો સાથે પોતાનું વૈર વધારે છે.' ___ 'यदि वा प्रकारान्तरेण बन्धनमेवाह - 'सयं तीत्यादि' स परिग्रहवानसंतुष्टो भूयस्तदर्जनपरः समर्जितोपद्रवकारिणि च द्वेषमुपगतस्ततः 'स्वयम्' आत्मना 'त्रिभ्यो' मनोवाक्कायेभ्य आयुबलशरीरेभ्यो वा 'पातयेत्' च्यावयेत् 'प्राणान्' प्राणिनः अकारलोपाद्वा अतिपातयेत् प्राणानिति, प्राणाश्चामी - पञ्चेन्द्रियाणि त्रिविधं बलं च, उच्छ्वासनिश्वासमथान्यदायुः । प्राणाः दशैते भगवद्भिरुक्तास्तेषां वियोजीकरणं तु हिंसा ।।१।। तथा स परिग्रहाग्रही न केवलं स्वतो व्यापादयति अपरैरपि घातयति घ्नन्तश्चान्यान् समनुजानीते, तदेवं कृतकारितानुमतिभिः प्राण्युपमर्दनेन जन्मान्तरशतानुबन्ध्यात्मनो वैरं वर्धयति, ततश्च दुःखपरम्परारूपाद् बन्धनान मुच्यत इति । प्राणातिपातस्य चोपलक्षणार्थत्वात् मृषावादादयोऽपि बन्धहेतवो द्रष्टव्या इति ।।३।।' અસંતુષ્ટ એવો પરિગ્રહવાળો જીવ જ્યારે ફરી પરિગ્રહને મેળવવા યત્ન કરે છે ત્યારે તેના ઉપર અને જેણે પરિગ્રહ મેળવી લીધો છે એના ઉપર જે કોઈ ઉપદ્રવ કરે છે, તેના ઉપર તે દ્વેષ કરે છે. આ દ્વેષથી પ્રેરાઈને ઉપદ્રવ કરનાર તે જીવને સ્વયં પોતે પોતાના મન, વચન, કાયાથી (એટલે કે પોતાના મન, વચન, કાયાના પ્રયોગથી) અથવા સામા જીવને તેના આયુષ્ય-બળ-શરીરથી છૂટો પાડે છે. તે સામા જીવને તેના પ્રાણોથી છુટો પાડે (મારે) છે. દશ પ્રાણો આ મુજબ છે : પાંચ ઈન્દ્રિયો, ત્રણ બળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય - એમ કુલ-દશ પ્રાણો ભગવાને કહ્યા છે. આ પ્રાણોને જીવોથી છૂટા પાડવા તેને હિંસા કહેવાય છે. પરિગ્રહનો આગ્રહી જીવ (આ રીતે ઉપદ્રવ કરનારને) માત્ર પોતે જ મારે છે, તેવું નથી. તે બીજા પાસે પણ તે જીવોને મરાવે છે અને તે જીવોને મારનાર એવા બીજા લોકોને પણ તે અનુમોદન આપે છે. આ રીતે કરવા-કરાવવા-અનુમોદવા દ્વારા જીવોને મારીને સેંકડો જન્મો સુધી ચાલે તેવા અનુબંધવાળું-પરંપરાવાળું (તે મરનાર જીવ સાથે) પોતાનું વૈર વધારે છે. તેથી દુ:ખની પરંપરારૂપ બંધનથી તે મુક્ત થતો નથી. અહીં પ્રાણાતિપાત-હિંસાને જેમ (કર્મ) બંધના કારણ તરીકે ઓળખાવેલ છે, તેમ ઉપલક્ષણથી અસત્ય, (ચોરી, મૈથુન) વગેરેને પણ (કર્મ) બંધના હેતુ તરીકે જાણવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004866
Book TitleSuyagadanga Sutrana Sathware Part 3 Bandhan Jano Bandhan Todo
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy