SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩ પઃ આરાધનામાં તિથિનું મહત્ત્વ - 5 જે તિથિ બે દિવસના સૂર્યોદયને સ્પર્શે તે વૃદ્ધિતિથિની આરાધના બે પૈકી બીજા દિવસે કરવાની છે. કારણ કે, વૃદ્ધિ પામેલ તિથિ બીજા દિવસે પૂર્ણ બને છે. માટે જ કહ્યું કે - “વૃદ્ધ વાર્તા તથોત્તર ' "તિથિ વધે ત્યારે તે વધેલી તિથિની આરાધના ઉત્તર એટલે કે બે પૈકી બીજા દિવસે કરવી.' જેમ કે વૃદ્ધિ પામેલી આઠમ સોમવાર અને મંગળવાર એમ બન્નેય દિવસના સૂર્યોદયને સ્પર્શતી હોય તો તેની આરાધના મંગળવારે કરવી. કારણ કે, સોમવારે તે આખો દિવસ હોવા છતાં પૂરી થતી નથી. જ્યારે મંગળવારે તે પૂરી થાય છે. સભાઃ આ ‘ક્ષ પૂo અને “ 37RT૦'નો આ જ અર્થ થાય છે કે બીજો કોઈ અર્થ થઈ શકે ખરો ? ક્ષો પૂર્વાદ અને વૃદ્ધ સત્તર નો આ જ અર્થ થાય છે, આ સિવાય બીજો કોઈ અર્થ થઈ શકે નહિ. એનો મારી મચડીને કોઈ બીજો અર્થ કરવા ઈચ્છીએ તો પણ તે અર્થ થઈ શકે તેમ નથી અને ખોટો અર્થ કરવા જઈએ તો અન્ય શાસ્ત્રોનો એ અર્થને સાથ મળતો નથી, પણ અન્ય શાસ્ત્રો એ ખોટા અર્થનો વિરોધ કરે છે. સભા આ શ્લોકનો આપ જે અર્થ કરો છો તે જ અર્થ થાય અને બીજો અર્થ ન જ થાય એવો આપની પાસે કોઈ આધાર ખરો ? અમારો કરેલો અર્થ સાચો છે કે ખોટો છે તે જાણવાની માપપટ્ટી : હા જરૂર, એક “તત્ત્વતરંગિણિ' નામનો ગ્રંથ છે. જેની રચના આજથી લગભગ ૪૫૦ વર્ષ પૂર્વે થયેલી છે. ગ્રંથકર્તા પૂ. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજ છે. જેઓ તપાગચ્છાધિપતિ પૂ.આ. શ્રી વિજય દાનસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય અને જગદ્ગુરુ પૂ. આ. શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાવર્તી હતા. તેમના આ ગ્રંથને સૌ કોઈ પ્રમાણભૂત માને છે. તેમાં દર્યામિ, પૂ અને વૃદ્ધી કરી. આ ત્રણેય સૂત્રોનું અર્થઘટન એક જ સૂત્ર દ્વારા કરી આપ્યું છે. ત્યાં લખ્યું છે કે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy