SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯ – ૫ આરાધનામાં તિથિનું મહત્ત્વ - 5 – 69. મનની લાગણી કે અંતરનો ઉછાળો એ જ માત્ર ભાવ નથી, એ તો એક પ્રકારની મનની અવસ્થા વિશેષ છે. ઉલ્લાસ અને ધર્મ સહાયક ભાવમાં ફરક છે. જેનશાસનમાં જે ભાવને મહત્ત્વ અપાયું છે તે જિનાજ્ઞાનુસારી પરિણામરૂપ ભાવને મહત્ત્વ અપાયું છે. જે પરિણામ જિનાજ્ઞાનુસારી ન હોય તેમાં ગમે તેટલો ઉલ્લાસ, ઉમળકો હોય તેની કોઈ જ કિંમત નથી. જિનાજ્ઞાનુસારી પરિણામ એ ભાવ છે. એમાં જેટલો ઉલ્લાસ-ઉમળકો ભળે એટલો લાભ છે. જ્યારે જિનાજ્ઞાથી વિપરીત પરિણામ એ સમુચિત ભાવ નહિ, પણ વિપરીતભાવ છે. એમાં જેટલો ઉલ્લાસ-ઉમળકો ભળે એટલું નુકસાન છે, આત્માનું અહિત છે. એટલે ઈચ્છા, ઉલ્લાસ, ઉમળકા રૂપ ભાવને આગળ કરીને, જિનાજ્ઞાનુસારી પરિણામ રૂપ ભાવનો અનાદર-ઉપેક્ષા કરવી તે સ્વ-પરનું કારમું અહિત કરનાર બને છે. ગમે ત્યારે, ગમે તે રીતે મારે આરાધના કરવી છે, મને આરાધના કરવાનો ઉલ્લાસ થયો છે તો મારે બીજો કોઈ વિચાર કરવો નથી. જ્યારે જે રીતે જે આરાધના થઈ શકે તે કરી લેવી છે.' - આવો ભાવ એ આજ્ઞાનુસારી પરિણામ નથી, આવા ભાવને આગળ કરીને ધર્મક્રિયાઓ કરવાથી જૈનશાસનને માન્ય એવા ભાવધર્મની આરાધના થઈ શકતી નથી. જૈનશાસનને માન્ય એવી આરાધના કરવી હોય તો જિનેશ્વર પરમાત્માએ બતાવેલ, ધર્મશાસ્ત્રોમાં વર્ણવેલ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની તમામ મર્યાદાઓને લક્ષ્યમાં રાખીને એનું પૂરેપૂરું પાલન કરવું જરૂરી છે. ભાવના નામે જિનાજ્ઞાનો અનાદર કરનાર વિપરીત ભાવનું પોષણ કરી જિનાજ્ઞાની વિરાધનાના ભાગી બને છે. ધર્મશાસ્ત્રોમાં ભારપૂર્વક કહ્યું છે કે પોતાની મતિકલ્પનાથી કરાતી સઘળીય ધર્મકરણી એ જિનાજ્ઞાથી રહિત હોવાથી સંસારરૂપ ફળને જ આપે છે. તીર્થકરને અનુલક્ષીને પણ એ કરાતી દેખાતી હોય તો પણ તાત્વિક રીતે તે ક્રિયાઓ તીર્થકર સાથે સંબંધ ધરાવતી નથી.” આવું ન બને માટે જિનાજ્ઞાનુસાર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના સ્વરૂપને તાત્ત્વિક રીતે સમજી તેની યથોચિત આરાધના કરવી જોઈએ. માટે જ કાળના પણ પ્રશસ્ત-અપ્રશસ્ત વિભાગો સમજી અપ્રશસ્તકાળ છોડી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy