SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ પ૮ ૧ - આગમ જાણો ! આગમની વાંચના જ્યાં કરવી છે, તે ક્ષેત્ર કેવું શુભ હોવું જોઈએ ? પ્રશસ્ત હોવું જોઈએ ? - તે જણાવ્યું છે. કારણ કે શુભક્ષેત્રના શુભ પરમાણુઓ અને મનોભાવને પ્રસન્નતાની દિશામાં લઈ જતું અનુકૂળ વાતાવરણ મળ્યા કરે અને એવા શુભ પરમાણુઓ અને વાતાવરણના કારણે આગમવચન સીધું પ્રશસ્ત રીતે પરિણામ પામે. તે પછી ચોથા નંબરે દિશાની વિચારણા કરી ગયા અને પાંચમા નંબરે કાળ કેવો હોવો જોઈએ તેની વાત કરી. શ્રી સૂયગડાંગ સૂત્રનું અધ્યયનાદિ ક્યા કાળમાં કરવું ? આ અંગે ચૂર્ણિકાર મહર્ષિએ જણાવ્યું છે કે – 'कालेत्ति इमं अंगं कालेण पढिजति, राति-दिणाणं पढम-चरिमासु पोरिसीसु ।' કાળની અપેક્ષાએ આ અંગ રાત-દિવસની પહેલી-છેલ્લી પોરિસીઓમાં કાળના સહારે ભણી શકાય છે.” દિવસના પહેલા, છેલ્લા પ્રહરમાં અને રાત્રિના પહેલા, છેલ્લા પ્રહરમાં જ આ આગમનું અધ્યયન કરવું જોઈએ. એમ આપણે ગઈ કાલના વ્યાખ્યાનમાં જોયું હતું. સભા: આ પ્રહર એટલે શું? દિવસ જેટલા કલાકનો હોય તેના સરખા ચાર ભાગ કરતાં જે ચાર ભાગ થાય, તે દરેકને પ્રહર કહેવાય છે. તે જ રીતે રાત્રિમાં પણ સમજવું. દિવસ મોટો હોય ત્યારે દિવસના પ્રહરો મોટા હોય અને રાત્રિ મોટી હોય ત્યારે રાત્રિના પ્રહરો મોટા હોય. સરેરાશ ૨૪ કલાકના દિવસ-રાતમાં કુલ૧૨ કલાક શ્રી સૂયગડાંગ સૂત્રનું અધ્યયન વગેરે થઈ શકે. પ્રહર જેમ કાળનો એક વિભાગ છે, તેમ તિથિ પણ કાળનો જ એક વિભાગ હોઈ કઈ તિથિઓમાં શ્રી સૂયગડાંગ સૂત્રના અધ્યયનનો ઉદ્દેશો - આરંભ કરવો અને કઈ તિથિએ ન કરવો ? તે જણાવતાં કહ્યું કે, સુદ કે વદ પક્ષની ચોથ, છઠ્ઠ, આઠમ, નોમ, બારસ, ચૌદસ, તેમજ પૂનમ અને અમાવસ્યાની તિથિએ આ આગમ વાચનાનો પ્રારંભ ન કરવો – એમ જણાવીને કઈ તિથિમાં પ્રારંભ થઈ શકે, તે જણાવતાં કહ્યું કે એકમ, બીજ, ત્રીજ, પાંચમ, સાતમ, દશમ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy