SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ આગમ જાણો ! બહેનો ધારે તો ઉત્કૃષ્ટ ગુરુભક્તિ કરી શકે : સભા : આ બહેનો પૂછે કે, અમે ગુરુભક્તિ કઈ રીતે કરી શકીએ ? તમે વંદન, પૂજન, વધાવવાની કે ગઢુલી કરવાની વિધિથી, નિર્દોષ આહાર-પાણી, વસ્ત્ર, પાત્ર, ઔષધ, વસતિ આપી ભક્તિ કરી શકો. તમારા પુત્રો, ઘરના પુરુષો, પતિને યોગ્ય ભક્તિમાં જોડીને પણ ભક્તિ કરી શકો. ‘યોગશાસ્ત્ર’માં કલિકાલસર્વજ્ઞ પ્રભુ જણાવે છે કે - ૪૪ ‘સર્વસ્વસ્થાપિ વાનમ્ ।' અને ‘સાધુધર્મોદ્યતત્ત્વ સ્વપુત્ર-પુત્ર્યાવેરપિ સમર્પમ્ ।' ‘બધી જ સંપત્તિનું દાન કરવું' તેમજ સાધુધર્મ લેવા પ્રયત્નશીલ એવા પોતાના પુત્ર-પુત્રી વગેરેનું પણ સમર્પણ કરવું.' એ ગુરુની ભક્તિનો પ્રકાર છે. જગદ્ગુરુ આચાર્યશ્રી હીરસૂરીશ્વરજી મ. સા. એ છેલ્લી બિમારી વખતે પોતે આહાર-પાણીનો ત્યાગ કરેલો. ત્યારે ગુરુદેવ આહાર-પાણી-ઔષધ ન લે તો નગરની શ્રાવિકાઓએ પોતાનાં નાનાં બાળકોને અમે સ્તનપાન નહીં કરાવીએ, તેવો નિર્ણય કરેલો. ઉપાશ્રયમાં શિષ્ય પરિવારનો એકાએક સ્વાધ્યાયનો ઘોષ બંધ થઈ જતાં જગદ્ગુરુએ શિષ્યોને પૂછ્યું કે, ‘સ્વાધ્યાય બંધ કેમ થયો !' શિષ્યોએ જવાબ આપ્યો : ‘સાહેબજી ! અસજ્ઝાય છે, તેથી સ્વાધ્યાય બંધ છે.' 44 ગુરુદેવે પૂછ્યું : ‘અસજ્ઝાય કેમ ?’ શિષ્યો : ‘બાળકો રડે છે, માટે.' ગુરુદેવ : ‘બાળકો કેમ ૨ડે છે ?’ શિષ્યો : ‘માતાઓ સ્તનપાન કરાવતી નથી, માટે.' ગુરુદેવ : ‘માતાઓ સ્તનપાન કેમ કરાવતી નથી ?’ શિષ્યો : ‘તેમના ગુરુદેવ આહાર-પાણી-ઔષધ લેતા નથી માટે.’ આવા પ્રકારે ભક્તોની ભક્તિ જાણી ત્યારે એ બાળકોને આહારનો અંતરાય ન થાય એ માટે કરુણાવંત જગદ્ગુરુશ્રીએ આહાર-પાણી-ઔષધ લીધાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy