SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ . ૧ – આગમ જાણો ! 16 એમાં જ્યારે ગ્રીષ્મઋતુ શરૂ થઈ ત્યારે વૈશાખ માસના શુક્લ પક્ષની નોમે પ્રભુ ઋજુવાલુકા નદીને કિનારે પધાર્યા. ત્યાં શ્યામાક નામના ગૃહસ્થના ક્ષેત્રમાં સાલ નામના વૃક્ષ નીચે પરમાત્મા ગોદોહિકા આસને ધ્યાનસ્થ થયા, સૂર્ય સામે દૃષ્ટિ કરી આતાપના લઈ રહ્યા છે. પ્રભુને ચોવિહાર છઠ્ઠનું પચ્ચકખાણ હતું. નોમનો દિવસ પૂર્ણ થયો, દસમ ચાલુ થઈ. પહેલો પ્રહર વીત્યો, બીજો પ્રહર વીત્યો, ત્રીજો પ્રહર પૂર્ણ થઈને ચોથો પ્રહર શરૂ થવા આવ્યો, ત્યારે પરમાત્માએ ધર્મધ્યાનમાંથી શુક્લધ્યાનમાં પ્રવેશ કર્યો. તેના પહેલા બે પાયા ઉપર આરૂઢ થયા. ક્ષેપક શ્રેણીમાં આરૂઢ થયા. મોહનો ક્ષય કરીને પરમાત્મા વીતરાગ બન્યા અને બાકીનાં ત્રણ ઘાતકર્મોનો ક્ષય કરીને પરમાત્મા સર્વજ્ઞ બન્યા. સર્વદર્શી બન્યા. પરમાત્મા ઉભા થયા. દેવો અને દેવેન્દ્રો પરમાત્માની સેવા માટે દોડી આવ્યા. જ્યાં પગ માંડ્યો, ત્યાં પગ જમીન ઉપર ન પડ્યો પણ સુવર્ણનાં કમળો ઉપર પડ્યો. દેવોએ સુવર્ણનાં નવ-નવ કમળોની રચના કરી. તે નવ-નવ કમળો માખણ કરતાં પણ કોમળ હતાં, અત્યંત સુંવાળાં હતાં. પરમાત્માએ કમળો ઉપર પગ મૂકવાનો ન હતો. જ્યાં એ પગ મૂકતા, ત્યાં કમળો ગોઠવાઈ જતાં હતાં. જ્યાં પરમાત્મા આગળ વધ્યા ત્યાં બે બાજુ ચામરો વીંઝાવા લાગ્યા, પક્ષીઓ પ્રદક્ષિણા આપવા લાગ્યાં, વૃક્ષો નમવા લાગ્યાં, કાંટા પણ ઊંધા થવા લાગ્યા. વાયુ મંદ-મંદ વાવા લાગ્યો, ઉપર ત્રણ છત્ર ચાલવા લાગ્યાં, આગળ ઈન્દ્ર ધ્વજ ચાલવા લાગ્યો. જે વૃક્ષ નીચે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું, તે વૃક્ષ ઊંચકાયું અને તે પરમાત્માની ઉપર ચાલવા લાગ્યું. આકાશમાં દુંદુભિનાદ થવા લાગ્યો. પ્રભુ ચૌદ રાજલોકની ટોચ કક્ષાની ભૌતિક સમૃદ્ધિના સ્વામી બન્યા. કરોડો દેવો તેમની સેવામાં હાજર થયા. ત્રણ ગઢનું નિર્માણ થયું. લગભગ સાડી તેર (૧૩) કિલોમિટરના ઘેરાવાવાળો પહેલો ગઢ બન્યો. તે પણ નક્કર ચાંદીનો, તેની અંદર બીજો સુવર્ણનો, તેની અંદર સુવર્ણનો રત્ન મઢેલો. પહેલામાં પાર્કિંગ વ્યવસ્થા, બીજામાં પશુ-પક્ષીઓને બેસવાની વ્યવસ્થા અને ત્રીજામાં બારે પર્ષદાની વ્યવસ્થા. દરેક ગઢમાં, ચારે દિશામાં દ્વાર-તોરણવાવડીઓની રચના. “સમવસરણ પ્રકરણ'નો અભ્યાસ કરો તો ત્રણ લોકના નાથનું, ધર્મતીર્થના ચક્રવર્તીનું સામ્રાજ્ય કેવું હતું ? તેનો કાંઈક ખ્યાલ આવે ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy