SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ આગમ જાણો ! દુઃખથી મુક્ત કરી, શાશ્વત સુખના ભોક્તા બનાવું. ‘સવિ જીવ કરું શાસનરસી’ ની આ ભાવના જ્યારે પરાકાષ્ઠાએ પહોંચી, ત્યારે પ્રભુ વીરે તીર્થંકર નામકર્મની નિકાચના કરી. ૧૨ તે પછીના જીવનકાળમાં ઉજ્જ્વળ સમ્યગ્દર્શન, ઘોરતપ, પરાકાષ્ઠાની પરોપકારિતા, અતિ ઉલ્લસિત થયેલી કરુણા, નિર્મળ-જ્ઞાન અને પવિત્ર ચારિત્રથી વધુ ને વધુ સમભાવને પુષ્ટ કર્યો. ત્યાંથી સમાધિ મૃત્યુ પામી, દશમા પ્રાણત નામના દેવલોકમાં ગયા. 12 દેવલોકના એ ભવમાં પ્રભુનું સમ્યગ્દર્શન વધુ ને વધુ નિર્મળ થતું ગયું હતું. યોગની છઠ્ઠી દૃષ્ટિનો ઉઘાડ થયો હતો. જેને કારણે ભોગને રોગની દૃષ્ટિએ પ્રભુ જોતા હતા અને અનુભવતા હતા. દૈવી ભોગોની વચ્ચે પ્રભુની વિરક્તિ ઉત્તરોત્તર બળવત્તર બનતી જતી હતી. જેમ જેમ રાગનાં પ્રબળ નિમિત્તો મળતાં તેમ તેમ પ્રભુની વિરક્તિ વધુ ને વધુ પ્રબળ બનતી ગઈ. સામાન્ય રીતે માનવીને મળતાં માનવીય ભોગનાં સુખો, સત્તાનાં સુખો કે આભિમાનિક સુખોને અતિક્રમી જાય એવાં અગણિત સુખો ત્યાં તેમને મળ્યાં હતાં. તેવાં પરાકાષ્ઠાનાં ભોગ-સુખો હોવા છતાં એ તારકનો આત્મા ત્યાં લેપાયો નહિ. આત્માની વિશુદ્ધિ-વિરક્તિ-ત્યાગ ભાવના સુદૃઢ બનતી ગઈ. એ જીવન પણ પૂરું થયું. ત્યાંથી ચ્યવીને પરમાત્મા દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીમાં અવતર્યા. પૂર્વે જે નીચકર્મ ભોગવવાનું બાકી રહી ગયું હતું, તેને પરિણામે ૮૨ અહોરાત્રી ત્યાં રહ્યા. જ્યારે તે કર્મ પૂરુ થયું, ત્યારે દેવેન્દ્રનો ઉપયોગ ગયો. હરિêગમૈષીને આદેશ કર્યો, ગર્ભનું પરાવર્તન કર્યું અને પરમાત્મા ત્રિશલામાતાની કુક્ષીમાં પધાર્યા. માતાને ચૌદ મંગળકારી મહાસ્વપ્નો આવ્યાં અને એક શુભ પળે આ અવનિતલને પ્રભુએ પાવન કર્યું. નંદનઋષિના ભવમાં જે વિશિષ્ટ મતિજ્ઞાન હતું, જે વિશિષ્ટ શ્રુતજ્ઞાન હતું અને દેવનાં ભવમાં જે નિર્મળ અવધિજ્ઞાન હતું, તે બધી મૂડી લઈને પરમાત્મા અવતર્યા હતા. પ્રભુનો જન્મ થતાં જ ચૌદ રાજલોકમાં અજવાળાં પથરાયાં, નરકનારકીઓએ પણ ક્ષણ માટે શાતા અનુભવી. દૈવી જગતનાં અચળ એવાં પણ સિંહાસનો ચલાયમાન થયાં. પ્રભુનો જન્મ થયો, એમ જાણીને દિકુમારિકાઓ દોડી આવી. પ્રભુ અને પ્રભુની માતાની સ્તુતિ કરીને એમણે સુતિકા કર્મ કર્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy