SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૩ - ૧૨ : પહેલા શ્રુતસ્કંધના ૭ થી ૧૭ અધ્યયનોનો પરિચય - 12 અને અનુયાયી એવા આચાર્ય ભગવંતો આવું સ્પષ્ટ નહિ કહે તો બીજું કહેશે કોણ ? આ તો યથાર્થવાદીનું શાસન છે. અયથાર્થવાદને અહીં ક્યાંય અવકાશ નથી. તમે જ્યારે આ અધ્યયન સાંભળશો ત્યારે તમને થશે કે કેવી ચોખ્ખી વાત, કેવી સુંદર શૈલી, કેવી સુંદર રજૂઆતની પોતાની વાસ્તવિકતા પૂરેપૂરી ! સભા : એ નિંદા ન કહેવાય ? 253 ના, ન કહેવાય. રાગ-દ્વેષના પરિણામ વગર નિંદા કેવી ? અને વીતરાગને વળી રાગ-દ્વેષ કેવા ? વીતરાગ માટે તો આ પ્રશ્નનો ક્યાંય અવકાશ જ નથી રહેતો, પણ સરાગી એવા ધર્મોપદેશકો પણ જો સમભાવમાં જીવતા હોય તો યથાર્થ પ્રરૂપણાના અવસરે એમના જીવનમાં પણ નિંદાને અવકાશ નથી મળતો. એટલે જ તો મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે કહ્યું કે - “નવિ નિંદા મારગ કહેતાં, સમ પરિણામે ગહગહતાં.” ‘સમભાવમાં ભીંજાઈને, ઝાકઝબોળ રહીને જો યથાર્થ નિરૂપણ કરાય એમાં સાચાને સાચું અને ખોટાને ખોટું કહેવાય, તો એને નિંદા ન જ કહેવાય.’ રાગ-દ્વેષની પરિણતિથી અળગા રહી વસ્તુનું સ્વરૂપ વર્ણવવું એ નિંદા નથી. વીંછીને શું કહેવાય ? વીંછી જ કહેવો પડે ? તે તેની નિંદા કરી કહેવાય ? સાપને સાપ કહીએ તો તેની નિંદા કરી કહેવાય ? સાપ-વીંછીથી ભરેલા રસ્તે થઈને કોઈ જતું હોય તો કહેવું પડે કે, આ રસ્તે જતા નહિ, ત્યાં સાપ-વીંછી છે, જેણે આ જણાવ્યું તેણે નિંદા કરી એમ કહેવાય કે, સાવધ કર્યા - એમ કહેવાય ? અહીં બધા કુવાદના પ્રણેતાઓને ભગવાને સાફ સાફ શબ્દોમાં મિથ્યાવાદી કહ્યા છે. = ૧૪મું અધ્યયન ‘ગ્રંથ’ નામનું છે. તેનો એક જ ઉદ્દેશો છે. આમાં શિષ્યના ગુણોનું વર્ણન ક૨વામાં આવ્યું છે. શિષ્ય કેવો હોય ? જે ગુણસંપન્ન હોય, તેણે અવશ્ય ગુરુકુળવાસમાં રહેવું જોઈએ. તે ગુરુકુળવાસમાં કેવી રીતે રહેવું ? શિષ્ય ગુરુ સાથે અને ગુરુએ શિષ્ય સાથે પરસ્પર કેવી રીતે રહેવું ? બંનેના ૫રસ્પરના વ્યવહારો દોરડાની જેમ ગૂંથી આપવામાં આવ્યા છે. તેથી આનું નામ ‘ગ્રંથ’ (ગ્રથન) અધ્યયન છે. Jain Education International થોડા ઘણા ગુણો પામીને કોઈ કહે કે, મારામાં ગુણો આવી ગયા. મારે હવે ગુરુકુળવાસમાં રહેવાની શી જરૂ૨ છે ! આ બોલવું યોગ્ય નથી. જેનામાં ગુણો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy