SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૬) ની શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ લગાડનાર હોય તેને ક્રમશઃ (૧) જ્ઞાનપડિસેવણા કુશીલ, (૨) દર્શનપડિસેવણા કુશીલ, (૩) ચારિત્રપતિસેવણા કુશીલ, (૪) લિંગપડિસેવણા કુશીલ કહે છે. (૫) તપના ફળની ઈચ્છા કરે અને દેવાદિપદની ઈચ્છા કરે તે અહાસુહુમ પડિસેવણા કુશીલ છે. (4) કષાયકુશીલ – ફોતરાંવાળી, કચરા વિનાની શાળ જેવા. ફક્ત સંજવલનના કષાયને કારણે જેનું ચારિત્ર દૂષિત છે તેને કષાયકુશીલ કહે છે. તેના પાંચ ભેદ છે. (૧) જ્ઞાન, (૨) દર્શન અને (૩) ચારિત્રમાં કષાય કરે, (૪) કષાય કરીને લિંગ બદલે, (૫) તપ કરીને કષાય કરે. (5) નિર્ગથ – ફોતરાં કાઢેલી – ખાંડેલી શાળ જેવા. તેના પાંચ ભેદ છે. (૧) પ્રથમ સમય નિગ્રંથ – દસમે ગુણસ્થાનકેથી ૧૧ કે ૧૨ મા ગુણસ્થાનકે ચડતાં પ્રથમ સમયના. (૨) અપ્રથમ સમય નિગ્રંથ – ૧૧ કે ૧૨ ગુણસ્થાનકમાં એક સમયથી વધુ સમય થયો હોય તે. (૩) ચરમ સમય નિગ્રંથ – ૧ સમયનું નિર્ચથપણું જેને બાકી હોય. (૪) અચરમ સમય નિર્ચથ – એક સમયથી વધારે નિગ્રંથપણું જેને બાકી હોય. (૫) અહાસુહુમ નિર્ગથ – ઉપરોક્ત પ્રકારના અને સર્વ પ્રકારના નિર્ચથી. (6) સ્નાતક – શુદ્ધ, અખંડ એવં સુગંધિત ચોખા જેવા. તેના પાંચ ભેદ (૧) અચ્છવી – યોગ નિરોધને કારણે જેમાં છવિ (શરીર) ભાવ બિલકુલ ન હોય તે. (૨) અસબલે –૨૧ સબલા દોષ રહિત છે, જેમાં અતિચારરૂપ મેલ જરાપણ ન હોય. (૩) અકર્મો – ઘાતિ કર્મથી રહિત. (૪) સંશુદ્ધ – વિશુદ્ધ કેવળજ્ઞાન, કેવળદર્શનના ધારક એવા કેવળી, અરિહંત આદિ. (૫) અપરિસ્સવી – કર્મબંધના પ્રવાહથી રહિત એવા અબંધક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy