SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ પ્રબંધ ચિંતામણી પુરી થઈ શકી નહિ, એટલે લેટને ધારાને કિલ્લો બનાવી, તે તેડી, એ રીતે પ્રતિજ્ઞા પૂરી કરી રાજાએ પાછા ફરી જવાને વિચાર કર્યો અને એ વાત મુંજાલ મંત્રીને જણાવી. તેણે પણ ચૌટાંઓમાં, ચોકમાં અને મંદિરોમાં પિતાનાં માણસે (જાસુસ) રાખી ધારાને કિલો કેવી રીતે તુટે વગેરે વાત કરાવી, ત્યારે ધારામાં રહેનાર કોઈ માણસ પાસેથી “જે દક્ષિણ દરવાજા ઉપર શત્રુનું લકર જેર કરે તે જ કિલ્લો પડે, તે સિવાય પડે એમ નથી” એવી વાત સાંભળીને તે મંત્રીએ ગુપ્ત રીતે રાજાને ખબર આપ્યા ૩૮ આ ખબર મળ્યા પછી રાજા સિદ્ધરાજે પણ દક્ષિણ દરવાજે સૈન્ય લઈ કિલ્લો દુર્ગમ છે એમ વિચાર કરી, યશ પટહ નામના બળવાન હાથી ઉપર સામળ નામના માવદને બેસારી હાથીના પાછલા ભાગથી દરવાજા (ત્રિપલી) નાં બેય કમાડ૩૯ ઉપર જોરથી ધક્કા મરાવ્યા. પરિણામે અંદરની ભોગળ ભાગી ગઈ ( અને દરવાજો ઉઘડી ગયો.) પણ અતિ જેર કરવાને લીધે અંદરથી તુટી ગયેલા હાથી ઉપરથી સિદ્ધરાજને૪૦ ઉતારીને જે માવદ ઉતરવા જાય છે તેવો હાથી જમીન ઉપર પડી ગયા. પિતાના યશથી ધવલ એ તે હાથી શૂરવીર હેવાથી મરી જઇને વડસર ગામમાં યશેધવલ નામના ગણપતિ રૂપે અવતર્યો.૪૧ ૩૮ આ વર્ણન જરા વિચિત્ર લાગે છે. મુંજાલ મંત્રી આ ઘેરા વખતે કયાં હતા ? જે રાજાની સાથે જ હોય તે ધારાની અંદર પિતાનાં માણસે શી રીતે મોકલી શકે છે તેમ પછી પણ ગુપ્ત રીતે– ગુપ્ત વિજ્ઞપ્તિ ' દ્વારા શા માટે ખબર આપવા પડે ? પણ જે ધારાની અંદર હોય તો આ બધું બરાબર છે. પણ તે લડાઈ વખતે પણ લડતા શત્રુના એલચી સામાના શહેરમાં રહી શક્તા હતા એમ માનવું પડે. ભીમ ભેજ પ્રબંધમાં પણ ભીમનું લશ્કર બહાર હતું ત્યારે ભીમને એલચી ડામર ધારામાં હોય એવું વર્ણન છે. ૩૯ એ વખતના કિલ્લાના દરવાજા તેડવા માટે આ રીતે હાથીનો ઉપયોગ થત; પણ હાથી જેવું કીમતી જનાવર કમાડના ખીલાઓ વાગી મરી ન જાય એ માટે હાથી અને કમાડ વચ્ચે ઉંટને રાખવાનો રિવાજ હતું, એમ કહેવાય છે. અહીં તો હાથી એકલો જ છે. : ૪૦ દરવાજે તેડવાના હાથી ઉપર રાજા પોતે બેઠા હોય એ જરા વિચિત્ર લાગે છે. ૪૧ હાથીનું નામ એક પ્રતમાં યશોદેવ આપ્યું છે, જ્યારે જિનમંડન ગણિએ યશ પટહ નામ આપ્યું છે અને તે મરીને વ્યન્તર થયો એમ લખ્યું છે (જુઓ મૂળ પૃ. ૫ કિ. ૧) માળવા સિદ્ધરાજે બાર વર્ષે લીધું અને હાથી દ્વારા દરવાજે તડે એટલી વાત જિ, ગણિએ. સિંહ મૂરિએ તથા ચારિત્ર સુંદર ગણિએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004860
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungacharya
AuthorDurgashankar K Shastri
PublisherFarbas Gujarati Sabha
Publication Year1932
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy