SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ વેસટના વંશનું વર્ણન. અને લોકોને ઉપકાર કરતે પૃથ્વી પર પ્રસિદ્ધ થયો. સમય જતાં તેને પણ જિનદેવ નામને એક પુત્ર થયે, કે જેની બુદ્ધિ જિનભાગવાનના ચરણયુગલનું સેવન કરવામાં આસકત રહેતી હતી. અપાર બુદ્ધિવાળા તેના પિતાએ અનુક્રમે ગૃહને સર્વ કારભાર તેના પર નાખી દીધા અને પિતે માર્ગમાં રહેલે મુસાફર એક ગામથી જેમ બીજે ગામ જાય તેમ, સ્વર્ગમાં ગયે. જિનદેવ, દેવપૂજા વગેરે કરવામાં સદા તત્પર રહેવા લાગ્યો અને સત્પષોમાં માન્ય થઈ સુખેથી કાળનિર્ગમન કરવા લાગે. પછી તેને પણ ગ્ય સમયે અખૂટ ગુણેના ભંડાર રૂ૫ એકપુત્ર થયો. તેનું નામ “નાગેન્દ્ર હતું અને રાજા પાસે તેનું ઘણું માન હતું. “તે નાગેન્દ્ર પિતાના ગોત્ર (કુળ-અથવા પૃથ્વી કે પર્વત) નો ઉદ્ધારક હતો, જેથી શેષ નાગની પેઠે પોતાના નાગેન્દ્ર નામને તેણે સત્ય કર્યું હતું. (અર્થાત શેષ નાગ જેમ પૃથ્વી તથા પર્વતને ઉદ્ધારક છે—ધારણ કરનાર છે તેમ તે નાગેન્દ્ર પણ પિતાના વંશને ઉદ્ધારક હત) માત્ર શેષ નાગમાં જેમ બે જીભ તથા વક્રગતિ છે તેમ, એ નાગેન્દ્રમાં બે જીભ (એટલે અબી બોલા ને અબી ફેકએવી) ન હતી. અને તેની ગતિ (ચાલચલગત) પણ સરળ હતી. નાગેન્દ્ર નામના તે પિતાના પુત્રે ઘરને બધો ભાર ઉપાડી લીધે ત્યારે એક દિવસે જિનદેવ (તેને પિતા) પરેઢીયામાં વહેલે ઉઠી સાવધાન થઈ આ પ્રમાણે વિચાર કરવા લાગ્યો,-૧૦ “આ સમગ્ર જગતમાં સમસ્ત વસ્તુઓને પ્રાણીઓ પોતે પ્રત્યક્ષપણે ક્ષણિક-નાશવંત જોઈ રહ્યાં છે, તો પણ શરીર આદિ પદાર્થોમાં ગાઢ પ્રીતિરૂપ સાંકળથી જકડાઈ જઈને પોતાને હિતકર ધર્મ કરતા નથી, કે જે ધર્મ ધનાદિ સર્વ પદાર્થો આપ્યા છે. તેમજ બીચારા ગૃહસ્થાશ્રમીઓ મેહરૂપી ગ્રહના આવેશથી એટલા બધા પરતંત્ર બની જાય છે, કે જેથી તેણે મેહરૂપગ્રહ) પિતાની ફજેતી કર્યા છતાં પણ તેઓ જાણું (૪૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy