SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ જૈત્રસિંહની હિંસાને ત્યાગ. લાગ્યું, જેથી તુરતજ તેઓને જાતિસ્મરણ થયું અને મુનિ પ્રત્યે તેઓ બેલ્યા કે,૩૫ “આપ ભગવાને અમને જે પૂર્વજન્મનું વૃત્તાંત કહી સંભળાવ્યું કે, હમણું અમને જાતિસ્મરણ થવાથી જાણે પ્રત્યક્ષ હોય તેમ અમારી સન્મુખ જ જણાય છે. ૩૬માટે હે પ્રભુ ! તમે અમને ગૃહસ્થને ગ્ય ધર્મનો ઉપદેશ કરે, કેમકે મહાદુષ્કર એવા ચારિત્રને અમે ગ્રહણ કરી શકીએ તેમ નથી.”૩૩૭ તે સાંભળી મુનિએ, વિનયનમ્ર એવા તે બન્ને સ્ત્રી પુરુષને, સમ્યત્વના મૂળ કારણરૂપ બાર વતે ગ્રહણ કરાવ્યાં. ૩૩૮ એ રીતે તેઓ બન્ને જણ જૈનધર્મને સ્વીકાર કરી મહામુનિને વંદન કરી પોતાના નગરમાં દાખલ થયાં અને મુનિએ પણ બીજી તરફ વિહાર કર્યો.૩૩૯ પછી તે દંપતીએ નિરતીચારપણે શુદ્ધ ગૃહસ્થ ધર્મનું પાલન કરી અંતે અનશનવ્રત ગ્રહણ કર્યું, અને તેનું પણ નિરતીચારપણે આરાધના કરી તેઓ બને સ્વર્ગમાં ગયાં. ભવિષ્યમાં ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યાવતાર ગ્રહણ કરી તેઓ મોક્ષે જશે. ૩૪૧ જૈત્રસિંહની હિંસાને ત્યાગ. ( વેસટ બેલ્લો-) હે રાજા ! એ પ્રમાણે જે કોઈ મનુષ્ય ધનદેવની પેઠે પ્રાણીઓની હિંસા કરતો નથી તથા માંસ ભક્ષણ કરતો નથી તે પણ પુણ્યશાળી થઈ શકે છે. ૩ર વેસટનું એ વચન સાંભળી જૈત્રસિંહ રાજાએ તેને કહ્યું કે, “હે શ્રેષ્ટિ ! હું સદાકાળને માટે માંસભક્ષણનો ત્યાગ કરી શકું તેમ નથી, તો પણ હું પોતે, નિરપરાધી પ્રાણુઓને કદી વધ કરીશ નહિ અને મહિનામાં પંદર દિવસ સુધી માંસનો પણ ત્યાગ કરીશ.૩૪૩-૩૪૪ત્યારે શ્રેણી બે કે, “હે પ્રભુ ! વાહ! ધન્ય છે તમને ! તમે માત્ર આટલુંજ સાંભળ્યું તેટલામાં તે જીવના વધનો તમે ત્યાગ કર્યો,૩૪૫ ઠીક છે, તમે તમારા ( ૩ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy