SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ધનદેવનું દષ્ટાંત. વશ કરી શકાય તેવા હોય છે તેમ, રાજાઓ પણ ભોગવૈભવોવાળા અને છડીદારોથી ઘેરાયેલા હોઈને કુટિલ, ક્રૂર ચેષ્ટાવાળા, મહા ભયંકર અને યુક્તિ પ્રયુક્તિઓથી વશ થઈ શકે તેવા હોય છે. ૧૮૯ એ પ્રાચીન કવિઓના વચનને હે રાજા તમે સત્ય કરી બતાવ્યું છે. કેમકે તમે પોતાના સંતાનને આ દુષ્ટ ઉદરવાળા કુટિલ વરને અર્પણ કરી દે છે.” ૧૯૦ રાણીનું એ વચન સાંભળી રાજાએ કહ્યું કે, “હે પ્રિયા ! તું વ્યર્થ મને કાં ઠપકો આપે છે ? તારી આ પુત્રીના પૂર્વજન્મોપાર્જિત કર્મને જ ઠપકે આપને ? ૧૯? આ તારી છોકરી જ મને એ પ્રમાણે કહે છે કે, “ સર્વ મનુષ્ય પોતે કરેલ કર્મના ફળને પામે છે” માટે આ વિષે હું ઠપકા પાત્ર નથી. ૧૯૨ પછી રાજાનો આશય જાણી લઈને રાણીએ મદનમંજરીને કહ્યું કે, “હે પુત્રિ ! તું તારા પિતાને શાંત કર, જેથી તે પોતાના કેપનો ત્યાગ કરે. ૧૯૩ હે પુત્રિ! હજી પણ કંઈ બગડી ગયું નથી. કેમકે અગ્નિને ચાર ફેરા ફર્યા પહેલાં બીજે વર થઈ શકે છે.” ૧૯૪ તે સાંભળી પુત્રીએ પોતાની માતાને કહ્યું કે, “હે માતા ! તું શેક કર મા. પુત્રી તો પિતાનાજ પુણ્યની વારસ હોય છે, કદી પિતાના પુણ્યની નહિ.૧ ૯૫ હે માતા ! આમાં મારા પિતાને કોઈ પણ જાતને દોષ નથી; પણ મારા પૂર્વજન્મનું કર્મ જ આ સમયે ઉદય પામ્યું છે. ૧૯૬ હરકોઈ મનુષ્ય પોતાના કર્મફળને ભેગવીને અતિ મહાન હર્ષ પ્રાપ્ત કરે છે પણ બીજાએ સંપાદન કરેલા મહાન પુણ્યફળને કોઈ પ્રાપ્ત કરી શકતું નથી. ૧૭ એ પ્રમાણે એકજ આગ્રહવાળી પિતાની પુત્રીને રાજાએ પેલા કાઢીઆ સાથે પરણાવી દીધી અને તે રાજકન્યા પણ તેઢીઆ પતિને પિતાના ઈષ્ટદેવની પેઠે માનવા લાગી. ૧૯૮ પછી રાજાએ તે કન્યાની માતાને બળાત્કારે ત્યાંથી દૂર કરી અને તે પુત્રીને તથા પિલાકેઢીઆને પિતાના માણસોદ્વારા નગરની બહાર મોકલી આપ્યાં. ૧૯® ત્યાં નગરની બહાર તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy