SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ધનદેવનું દૃષ્ટાંત. કેમકે લેકમાં આપણે જોઈએ છીએ કે, જે વસ્ત્ર જેને પ્રિય હોય છે, તેને તે વસ્ત્ર ઉપરનું વીંટણ પણ પ્રિય જ હોય છે. ૧૪૯ જેમ એક વૃક્ષ અત્યંત નમી પડેલું હોય અને તેથી તેના મૂળ સમીપ ઉભેલ એક ઠીંગણે મનુષ્ય પણ પિતાની મેળે જ તે વૃક્ષનાં ફળને શું સંપાદન કરતું નથી ? તેમાં એ વૃક્ષને શું દૂષણ લાગે છે ?” વળી પણ તે રાણીએ ઈર્ષાપૂર્વક કહ્યું કે, “ ખરેખર, આ જગતમાં તમારા જેવો બીજે કઈ ધૂતારે નથી. કેમકે તમે મારા ચિત્તને વિશ્વાસ ઉપજાવે તેવાં માત્ર વચન જ કહો છો. ૧૫૦-૧૫૧ ધારો કે કોઈ એક મનુષ્ય કેઈને કંઈ આપે છે, ત્યારે બીજો કોઈ સામાન્ય મનુષ્ય તેને શું હાથ પકડે છે? મતલબ કે, કલ્પવૃક્ષની પેઠે તમે જે આપવા તૈયાર થાઓ તો તમને કેણ રોકનાર છે ?” ૧૫૨ તે સાંભળી રાજાએ રાણીને ઉત્તર આપ્યો કે, “કાલે સવારે તે તારા ભાઈના અભાગ્યનું ફળ હું તને પ્રત્યક્ષ બતાવીશ, માટે હે દેવિ ! તું ધીરજ ધર, કેપ કર મા.” ૧૫૩ રાણુને એમ કહી રાજાએ પિતાના સાળાને એક બીજેરું આપ્યું કે જેમાં ગુપ્ત રીતે એક રત્ન મૂકવામાં આવ્યું હતું. પણ રાજાના સાળાએ તેની અંદર રહેલા રત્નને જાણ્યું નહિ. ૧૫૪ તે તે એ બીજેરૂ લઈને પોતાના ઘર તરફ ચાલી નીકળ્યો અને જતાં જતાં પિતાના મનમાં તેણે વિચાર કર્યો કે, “અહો ! આટલા દિવસ સુધી હું રાજાની પાસે રહ્યો, ત્યારે માત્ર આ એક ફળ તેની પાસેથી હું મેળવી શકે. ૧૫પ ઠીક છે, આ બીજેરૂ વેચીને તેના મુલ્ય વડે આજે હું ભજન કરીશ. કેમકે, આ બીજેરાને હું ખાઈ જઈશ તો તેથી ભોજન જેવી તૃપ્તિ નહિ જ થાય.” ૧૫૬મનમાં આ વિચાર કરી તે નિર્ભાગી મનુષ્ય કોઈ એક કાછીઆની દુકાને જઈ તુરત જ તે બીજેરૂ વેચી નાખ્યું. ૧૫૭ પાછળથી કોઈ એક વેપારીએ મુલ્ય આપીને તેજ બજેરૂં ખરીશું અને રાજાને પ્રસન્ન કરવા માટે તેની (ર૧ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy