SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ હવે દેશલે મુગ્ધરાજના આમંત્રણથી દેવપત્તન તરફ સકલ સંઘસહિત પ્રયાણ કર્યું. રસ્તામાં વામનપુરી સંઘનું દેવપત્તન જવું ( વણથલી ) વગેરે સર્વ સ્થાનકે ચૈત્યઅને સમરસિંહ તથા મુગ્ધરાજનો સમાગમ પરિપાટિ કરતો દેશલ સંઘસહિત દેવપત્તન પહે. મુગ્ધરાજ સમરસિંહને સંધસહિત આવેલો જાણુને પોતે પરિવાર સહિત સંઘના સન્મુખ આવ્યું. સમરસિંહ અને મુગ્ધરાજ બને મળ્યા અને મુગ્ધરાજ સમરસિંહને ભેટીને અત્યંત ખુશ થયો. પરસ્પર બનેએ કુશલપ્રશ્ન પૂછડ્યા પછી અરસપરસ ભેંટણું આપ્યાં અને ખુશ થયેલા બન્નેએ પિતાની મૈત્રી વધારે દઢ કરી. હવે સંઘપતિ દેશલ અને સમરસિંહે સંઘસહિત ઉત્સાહપૂર્વક ધ્વજા અને તોરણો વડે સુશોભિત દેવપત્તનમાં પ્રવેશ કર્યો. અને સેમેશ્વરદેવ મુગ્ધરાજની પાસે આનંદપૂર્વક એક પ્રહર ગાળ્યો. સંઘપતિએ સંઘનો નિવાસ પ્રિયમેલમાં રાખે. અહિં સંઘપતિ તરફથી અષ્ટાહિકા મહોત્સવ, જિનચૈત્યમાં પૂજા તથા સોમેશ્વરની પણ પૂજા થઈ. મુગ્ધરાજે સમરસિંહને શ્રીકરી અને તુરગ ઉપહાર તરીકે આપ્યા, અજાઘર તરફ તે લઈને અજાઘરપુરે પાર્શ્વનાથને નમસ્કાર સંઘનું પ્રયાણ કરવા દેશલસહિત સમરસિંહે સંઘ સાથે પ્રયાણ કર્યું. જે પાર્શ્વનાથ સમુદ્રના મધ્ય ભાગમાંથી નીકળ્યા અને વહાણવટીને (ચૈત્ય બનાવવાને) આદેશ કરી તેણે બનાવેલા ચિત્યમાં પ્રતિષ્ઠિત થયેલા છે તે પાર્શ્વનાથ ભગવાનની પૂજા પ્રમુખ મહેત્સવ કરીને દેશલ સંઘસહિત કેડીનાર ગયો. ત્યાં અંબિકાનું દેવાલય છે. તેની ઉત્પત્તિ પ્રબંધકાર આ પ્રમાણે ૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy