SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ વતી વડે મુનિવરોને પ્રતિલાશી પરિવાર સહિત સંઘને આદરપૂર્વક ભોજન કરાવ્યું તથા બારેટ, ભાટચારણે અને ગાયને પણ જમાડ્યા. આ સંઘમાં આચાર્ય, વાચનાચાર્ય, ઉપાધ્યાય ઇત્યાદિ પદસ્થ પાંચસે મુનિઓ હતા, મહારાષ્ટ્ર અને તિલંગ દેશથી સહજપાલ બારીક વસ્ત્રો લાવ્યો હતો, તેણે તે વડે ભકિતપૂર્વક તેઓને સત્કાર કર્યો. તે સિવાય બીજા બે હજાર મુનિઓને પણ અનેક પ્રકારના વસ્ત્રો અને ઉચિત વસ્તુઓ વડે પ્રતિલાલ્યા. પ્રબન્ધકાર જણાવે છે કે સમરસિંહે સાતસે ચારણો, ત્રણ હજાર ભાટ અને હજાર ઉપરાંત ગાયકોને મનોવાંછિત સોમૈયા, તુરગ અને વચ્ચેનું દાન કર્યું. પુષ્પની વાટિકાઓ કે જેના અરઘટ્ટ ભાંગી ગયા હતા, અવેડાએ નહોતા અને વાડ વિના વૃક્ષે ઉખડી ગયા હતા તે વાટિકાઓને માળીઓને ધન આપી પ્રભુની નિત્ય પુષ્પપૂજા માટે ખરીદી લીધી અને નવી કરાવી. જિનેન્દ્રની પૂજા કરનારા, ગાન કરનારા, સૂત્રધારો અને ભાટોને ઇચ્છિત વૃત્તિ આપીને ત્યાં તીર્થ ઉપર મૂકયા. ત્યાર બાદ દેસલે ઉજજયન્ત તીર્થની યાત્રા કરવા માટે પ્રયાણ કર્યું. દેવાલય આગળ ચાલ્યું અને ત્યાર પછી સંઘનું ગિરનાર દેસલ સર્વ સંઘસહિત ચાલ્યો. અને તે અમરાતરફ પ્રયાણ વત્યાદિ પુર અને ગામને વિષે પોતાના અદ્દભુત કાર્યો વડે જિનશાસનની પ્રભાવના કરતો ઉજજયન્તગિરિ પહોંચ્યો. તે વખતે ત્યાં જૂનાગઢમાં મહીપાલદેવ નામે રાજા હતો, તે જૂનાગઢની પાસે સંઘસહિત દેશલ અને સમરસિંહને આવેલા જાણી તેના ગુણોથી આકર્ષાઈને સંઘપતિ દેશલ અને સમરસિંહની સામે આવ્યો. સમરસિંહ અને મહીપાલદેવ પરસ્પર પ્રેમપૂર્વક ભેટયા ૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy