SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ સંઘનું પાટણ તરફ પ્રયાણ દૂર કરવા માટે શ્રી નેમિનાથની આજ્ઞા પ્રમાણે કૃષ્ણ, પાતાલમાંથી એ પાર્શ્વનાથ ભગવાનને પ્રગટ કર્યા અને તેમના સ્નાત્રજળના સિંચનથી સર્વ મનુષ્યોને નીરોગી ર્યા. તે પાર્શ્વનાથ ભગવાન સર્વનું કલ્યાણ કરે. ૨૫° સાધુ દેશલે એ શંખેશ્વર તીર્થમાં મહાદાન, મહાપૂજા અને મહાવજ–વગેરે સર્વ વિધિ કર્યા અને શ્રી પાર્શ્વભગવાનને પ્રણામ કરી હારીજ નામના ગામમાં તે ગયો. ત્યાં શ્રી ઋષભદેવ ભગવાનને વંદન કરી તેણે પાટણ તરફ પ્રયાણ કર્યું. ૨૫૧૨૫૨ શ્રીપાટણની પાસે બેસેઈલ” નામનું એક ગામ આવેલું છે, ત્યાં આવીને દેશલે સમરસિંહઠારા સંઘના નિવાસસ્થાન કરાવ્યાં અને સંઘને ત્યાં પડાવ નંખાવ્યો.૨૫૩ એ વખતે શ્રીદેશલને સંઘના લોકે સાથે કુશળક્ષેમ ત્યાં આવેલા સાંભળી, પાટણના લોકો હર્ષથી પ્રફુલ્લ થઈ ગયા અને તેઓ સર્વ પિતાપિતાનાં કાર્યો પડતા મૂકીને સઘની સામે આવ્યા. ૨૫૪ તે અન્યોન્યની સ્પર્ધાપૂર્વક ત્યાં એકઠા મળેલાં સર્વ મનુષ્યોએ સંધપતિ દેશલના તથા સમરસિંહના ચરણનું ચંદન તથા સુવર્ણનાં પુષ્પથી પૂજન કર્યું. અને દેવના ચરણમાં જેમ પ્રણામ કરે તેમ, તેઓના ચરણમાં મસ્તક નમાવીને ભક્તિપૂર્વક પ્રણામ કર્યા, તેમજ તેઓએ પોતે પણ શ્રીવિમલાચલ તીર્થની જાણે યાત્રા કરી હોય તેમ માન્યું. ૨૫૫-૨૫૬ તે પછી નગરનાં લેકોએ, યાત્રા કરીને પિતાના નગરમાં આવેલા તથા જયલક્ષ્મીને પામેલા ધર્મચક્રવર્તી એ દેશલના કંઠમાં હર્ષપૂર્વક પુષ્પની માળા પહેરાવી.૨૫૭ તે સમયે અન્યના દર્શન કરીને જેઓનાં નેત્ર અતૃપ્ત જ રહ્યાં હતાં એવા તે નગરવાસીઓમાં બંધુ પિતાના બંધુને, પિતા પિતાના પુત્રને, મિત્ર પિતાના મિત્રને અને પિતા પિતાના કુટુંબને અન્યોન્યના શરીરમાં શરીર નાંખી દેવા ઇચ્છતા હોય તેમ ભેટી પડ્યા. ૨૫૮ એટલું જ નહિ પણ જેઓ તીર્થ કરીને આવ્યા હતા તેઓને પૂજ્ય (૦ર૭ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy