SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૫ પછી કામસમાન સુંદર તે સમરસિંહ, (જૂનાગઢના રાજા) શ્રીમહીપાલદેવની રજા લેવા માટે ભેટનું હાથમાં લઈને તેની પાસે ગયો. ૧૯૮ ત્યારે શ્રીમહીપાલદેવે સંતોષ પામીને સમરસિંહને રેશમી સામાનવાળો એક ઘડો તથા શ્રીકરી અર્પણ કર્યો. ૧૯૯ તે પછી શ્રીમુગ્ધરાજનો પત્ર આવવાથી જેને ઉત્સાહ તથા હર્ષ વૃદ્ધિ પામ્યો હતા એવો શ્રીદેલ, સમગ્ર સંઘની સાથે શ્રીદેવપત્તન નગર તરફ ચાલ્યો. ૨૦૦ માર્ગમાં લક્ષ્મીના સ્થાનમ્પ એવાં વામનપુરી (વણથળી) વગેરે સર્વ સ્થાનોમાં ચૈત્યપરિપાટીના મહત્સવને કરતો હતો અને ચંદ્રસમાન ઉજજવળ તથા સુંદર કીર્તિવાળો તે સંઘપતિ, હર્ષ તથા સહાયકની સાથે દેવપત્તન પહોંચી ગયો. તે વખતે સમરસિંહને પાસે આવેલો સાંભળી મુગ્ધરાજ, તુરતજ તેને મળવાના આનંદથી ઉલ્લાસ અને રોમાંચયુક્ત થઈ રહ્યો છે છત્ર–ચામર આદિથી યુક્ત તે મુગ્ધરાજ પિતાના પરિવારની સાથે સંઘપતિની સામે આવ્યો.૨૦ ૩ તે વખતે પોતાનાં કિરણોથી આકાશને પ્રકાશિત કરનારા સૂર્ય અને ચંદ્રની પેઠે સમરસિંહ તથા મુગ્ધરાજ-બને જણા અન્યની પાસે આવીને મળ્યા. ૨૦૪ અને સમરસિંહને ભેટીને મુગ્ધરાજ આનંદમગ્ન થયો, તેમજ સાધુ સમરસિંહ પણ રાજાને કુશળ સમાચાર પૂછીને અમૃતમગ્ન થયો હોય તેમ આનંદ પામે. ૨૦૫ તે પછી તેઓ બન્નેએ પરસ્પર ભેટનું અર્પણ કર્યા તથા એક બીજાનાં ભેટનું ગ્રહણ કર્યા. તેઓ બન્ને જણે એક બીજા ઉપર પ્રસન્ન થઈને પોતપોતાના સમાગમને શુભ પરિણામવાળો માનવા લાગ્યા. ૨૦૬ સંઘ સહિત સમરસિંહને દેવપત્તનમાં પ્રવેશેલ્સવ પછી સંધપતિ દેશલે સમરસિંહને આગળ કરી ત્યારે પ્રકારનાં સંઘની સાથે તથા દેવાલયની સાથે, ઈન્દ્ર જેમ અમરાવ (૨૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy