SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૫ હતાં.૮ તેમજ સાધુ સહજપાલ, સાહણ, સમરસિંહ, સામંત, અને સાંગણ-એ પાંચે જણાએ પણ ધનની વૃષ્ટિ કરી હતી.૯ એ રીતે તેઓ જ્યારે યાચકને દાન આપતા હતા, ત્યારે તે જોઈને લોકેએ માન્યું હતું કે પરસ્પર સ્નેહવાળા આ પાંચે પાંડવો છે કે શું? ૧૦૦ તેમજ મનમાં વિસ્મય પામેલા સર્વ લોકે તે વેળા પરસ્પર કહેતા હતા કે, તીર્થને ઉદ્ધાર કરવા માટે તે પાંડવોજ ફરી આવેલા છે કે શું ?૧ -૧ એ રીતે અત્યંત ઉત્કંઠાથી ઉત્સવ કર્યા પછી સાધુ દેશલ જિનપતિનું મુખકમળ જેવા માટે શિખર ઉપરથી ઉતર્યો અને અત્યંત આનંદથી તથા વેગથી જિન ભગવાન પાસે ગયો. ૧૦૨ પછી તેણે બલાનક મંડપના આગળના ભાગમાંથી ખસેડીને દેવના મસ્તકના વિભાગથી આરંભી છેક શિખરના દંડ સુધી રેશમી વસ્ત્રો જેની વચ્ચે સાંધેલાં હતાં તેવી મોટી મોટી ધ્વજાએ બંધાવી. ૦૩ અને દેવને નિમિત્તે ત્રણ છત્રે તેણે અર્પણ કર્યો. તે છત્રોમાં એક એક છત્ર જાણે ત્રણ લેકનું અધિપતિપણું મેળવવાની ઇરછાથી હેયની તેમ હિમાંશુ–પા, પઢાંશુ-રેશમી વસ્ત્ર અને સુવર્ણનું બનેલું હતું. ૧૦૪ તેમજ દેશલે સ્વર્ગનું રાજ્ય મેળવવા માટે હાયની તેમ ગંગાના તરંગ સમાન સુંદર અને ચમરીના કેશથી બનાવેલાં બે ચામર આદિનાથ ભગવાનને અર્પણ કર્યા. ૧૦૫ તે ઉપરાંત બીજ બે ચામરે, કે જેઓને દંડ સુવર્ણનો હતો તથા તંતુઓ રૂપાના હતા તે પણ અર્પણ કર્યા૧૦૬ વળી જેમ પિતાના પુણ્ય. સમુદાયરૂપ મણિઓના પર્વત ઉપર જાણે નિધિ સ્થાપન કરવા તૈયાર થયું હોય તેમ, દેશલે સુવર્ણના, રૂપાના, તથા પિતળના સ્નાત્ર ફળશે જિન ભગવાનને અર્પણ કર્યા.૧૦૭ દેશલે મંગલમય અને આરાત્રિક-શાશ્વત સ્થાન મેળવવા માટે ઉત્સુક હેયની તેમ રૂપાનો એક સુંદર મંગળદી તથા આરતિ આપી, ૧૮ વળી તેણે દેવા ( ૧૨ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy