SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ હવે સમરસિંહે પિતાની આજ્ઞાથી આરાસણની ખાણુથી ફલહી મંગાવવા પોતાના વિશ્વાસુ માણુસેને વિજ્ઞપ્તિ બિંબ માડે ત્રિસંગમ સાથે ભેટયું લઈને મોકલ્યા. તેઓ થોડા પુરથી ફલહીનું લાવવું. વખતમાં ત્રિસંગમપુર પહોંચ્યા. તે વખતે ત્યાં આરાસણની ખાણને માલિક મહિપાલ દેવ નામે રાણે રાજ્ય કરતો હતો તે રાજા માહેશ્વર–શિવભકત છતાં પણ જૈનધર્મમાં શ્રદ્ધાવાળો હતો. તે જન્મથી માંસ મદિર વગેરે, પદાર્થનું ભક્ષણ કરતો નહતો. અને બીજા માંસ ભક્ષણ કરનારને પણ નિવારતો હતો. જે કદિ ત્રસ જીવની હિંસા કરતા નહોતે. તેમ તેના રાજ્યમાં કોઈ પણ હિંસક રહી શકતો નહોતો. તેના રાજ્યમાં કડા કે પાડાને વધ કાઈ પણ કરતું નહોતું. જૂ જેવા સુદ જંતુને પણ કોઈ મારી શકતું નહિ. તે દિવસે જ એક વાર સ્નાન કરી ભેજન કરતો હતો. ” તે રાજને “પાતાશાહ” નામે મંત્રી હતો. સમરસિહના માણસો વિજ્ઞપ્તિપત્ર સાથે ભટણું લઈને મહીપાલ દેવના દર્શન માટે આવ્યા, અને રાણાને નમસ્કાર કરી ભટણું આગળ ધરી વિજ્ઞપ્તિપત્ર આપ્યો. મન્દીએ રાણાની આજ્ઞાથી વિનતિપત્ર હાથમાં લઈને તેને ઉચ્ચ સ્વરે વાંચ્યો અને તેને અર્થ જાણ રાણે બેલ્યો કે, “સમરસિંહ ધન્ય છે અને એનો જન્મ પણ સાર્થક છે, હું પણ ધન્ય છું કે મારી પાસે આરસની ખાણ છે, નહિ તો આ બાબતમાં હું કયાંથી યાદ આવત.” વળી રાણએ પાતાશાહ મન્ચીને કહ્યું કે સમરસિંહનું ભેટણું પાછું આપે, કેમકે પુણ્યને માટે ધન કેમ લઈ શકાય ? ધન, પરિવાર અને જીવિતવડે મનુષ્ય ધર્મ કરે છે, તે માત્ર ભેટસુવડે તેને કેમ હારી જવાય ? ખાણમાંથી જિનબિંબને માટે શિલાદલને ગ્રહણ કરનાર પાસેથી જે કર લેવાય છે તેને પણ હું આજથી છેડી દઉં છું, આ કાર્યમાં જે કોઈ પણ સહાય જોઈએ તે કરવા તૈયાર છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy