SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૫ મધ્યમ તથા અધમ મનુષ્ય, એ પ્રતિષ્ઠાવિધિને જોવામાં ઉત્સુક બનીને આવ્યા હતા અને તેઓ સર્વ બાહુઓને ઉંચા કરીને પર્વત ઉપર ચઢી ગયા હતા. ૨૭ પછી માઘ માસની શુકલ ત્રાદશી ને ગુરુવારને દિવસે સાધુ દેશલે યાત્રા કરવા માટે ચારે પ્રકારના સંધને એકઠો કર્યો,૨૮ અને પછી શ્રી સિદ્ધસૂરિ વગેરે આચાર્ય મહારાજની સાથે સાધુ શ્રેષ્ઠ દેશલ સંઘની આગળ ચાલનારા સમરસિંહની સાથે કુંડમાંથી જળ લાવવા માટે નીકળ્યા. ૨૯ તેણે દિકપાલનું. કુંડના અધિપતિ દેવનું તથા સૂર્ય વિગેરે ગ્રહોનું વિધિપૂર્વક પૂજન કર્યું એટલે સમરસિંહ, શ્રીસિદ્ધસૂરિએ મંત્રાધાનથી પવિત્ર કરેલા જળ વડે સમગ્ર કળશ ભરાવ્યા. તે વખતે વાદિત્રોના તથા જયજયકારના શબ્દો પર્વતની ગુફાઓમાં પ્રવેશ કરીને લગભગ બમણું થઈ પડ્યા હતા, જેથી પર્વત પણ એ મહોત્સવ જોઈને જાણે ગર્જના કરતો હોય તેમ લાગતું હતું.૩૧ પછી સુવાસિની સ્ત્રીઓના મસ્તક ઉપર તે કળશ મૂકીને સમરસિંહ સમગ્ર સંઘની સાથે મોટા ઉત્સવપૂર્વક શ્રીકષભદેવ ભગવાનના ચૈત્યમાં આવ્યો. ત્યાં જળના કળશને ગ્ય સ્થાને સ્થાપીને સાધુ સમરસિંહ, પ્રતિષ્ઠારૂપ લતાની મૂળ ભૂમિ સમાન સેંકડો મૂળને પીસાવવાનો આરંભ કર્યો.૩૪ તેને વાટવામાં, જેના માતા, પિતા, સસરે, સાસુ તથા પતિ-આ પાંચ જણે જીવતા હોય તેવી સુવાસિની સ્ત્રી જ યોગ્ય ગણાય છે, બીજી કોઈ નહિ.૩૪ પણ સમરસિંહને તો તેવા પ્રકારની ચાર સો સુવાસિની સ્ત્રીઓ તે વેળા મળી આવી હતી, જેઓ તેને આનંદ ઉપજાવનારી થઈ પડી હતી. તે સર્વ સ્ત્રીઓને સાધુ સમરસિંહે સેંકડો મૂળાને વાટવા માટે ઉત્સવપૂર્વક સત્વર બેસાડી દીધી, ૫ શ્રીસિદ્ધસૂરિ પ્રભુએ અનુક્રમે તે સર્વ સ્ત્રીઓના મસ્તક ઉપર વાસક્ષેપ નાંખે જેથી અધિક ઉત્સાહમાં આવી જઈને તે સ્ત્રીઓએ અન્યની સ્પર્ધાપૂર્વક (૨૦૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy