SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ બિંબ માટે ફલેહીનું મંગાવવું સ્વરૂપમાં આવીને કહ્યું કે, તું ખેદ કર મા. ઝંઝા નામે ગામમાં જે એક દેવી છે તેની યાત્રા માટે એક ગાડું કરાવવામાં આવ્યું છે. તે દેવતાથી અધિષ્ઠિત છે અને મજબૂત છે. ૧૨૮-૧૨૯ એટલું જ નહિ પણ યાત્રા વખતે પચાસ માણસો તેના ઉપર બેસે છે તે પણ તે ગાડું બે કાશ જેટલે અંતરે જોડેલા માત્ર બે બળદો વડે ચાલ્યું જાય છે. ૧૩૦ આ ગાડું પિતાના ભક્તને ઉપદેશ કરીને દેવી પિતે તને આપશે, જેથી તારે મને રથ સિદ્ધ થશે. ૧૩૧ શાસન દેવીનું આ વચન સાંભળી સમરસિંહ પોતાના આત્માને જગતમાં સર્વાધિક માનવા લાગ્યો. અથવા માર્ગભ્રષ્ટ થયે--માર્ગે ભૂલો પડેલે કયો મનુષ્ય ફરી માર્ગમાં આવીને આનંદ ન પામે ? ૧૩ર તેણે પ્રાતઃકાળમાં પોતાના પિતા આગળ જઈને દેવીને તે સર્વ આદેશ કહી સંભલાગે એટલે તેને પિતા પણ દેવીના દર્શનથી પિતાના પુત્રને ભાગ્યશાળી માનવા લાગે. ૧૩૩ તે પછી એ ગાડું લાવવા માટે રામરસિંહે તૈયારી કરી કે તે જ સમયે દેવીએ મેલે દેવીનો એક પુજારી તેની પાસે આવ્યો અને બોલ્યો –“દેવીએ મને આજ્ઞા કરી છે કે સમરસિંહ પાસે જઈને તું કહે કે, મારા ગાડા વડે સુખેથી તે શિલા પિતાના ઈષ્ટ સ્થાને જઈ પહોંચશે, ૧૩-૧૩૫ માટે હે સાધુ! દેવીએ આપેલા આ ગાડાને તું ભાડા વિનાજ લઈ લે; દેવીની કૃપાથી તારા સર્વ મનોરથો સિદ્ધ થશે.” ૧૩૬ સાધુ સમરસિંહે દેવીના તે ભક્તને વસ્ત્ર–અલંકાર વગેરે આપીને સારી રીતે સંતોષ્યો અને પછી ગાડા માટે તેની સાથે પિતાના માણસોને રવાના કર્યા.૧૩૭ તેઓ, દેવતાથી અધિષ્ઠિત અને મજબૂત એવું તે ગાડું લઈને કુમારસેના ગામમાં જઈ પહોંચ્યા અને તે ગાડું મંત્રીને સુપ્રત કર્યું. ૧૩૪ પછી મંત્રી વગેરે સર્વ પુરુષોએ તે ગાડાને શિલાપાટની આગળના ભાગમાં સજજ કર્યું અને તેના ઉપર એ શિલાપાટ જેવી ચઢાવવા માંડી કે એની મેળે જ (૧૭૯ ). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy