SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૩. તાપૂર્વક શુભ ધ્યાનથી યુક્ત થઈ, પરમેષ્ઠી નમસ્કારનો પિતેજ ઉચ્ચાર કરતો એ મંત્રી પ્રાણનો ત્યાગ કરી સ્વર્ગે ગયો. ૨ ૧૪ સાધુવેષને ધારણ કરનારા પિલા રઝળતા વંઠ મનુષ્ય પણ અમૂલ્ય ચિંતામણિ સમાન તે સાધુવેષને અકસ્માત પ્રાપ્ત કરી પુનઃ તેને દુર્લભ માનીને તેને ત્યાગ કર્યો નહિ, ૨૧૫ પણ કોઈ સુગુરુ પાસે જઈ વિધિપૂર્વક તેણે દીક્ષા લીધી અને નિર્મળ ચિત્તથી તેનું પાલન કર્યું. ૨૬ મંત્રીઓએ પણ ઉદયનમંત્રીને દેહસંસ્કાર કરી સુરાષ્ટ્ર દેશમાં શેલ્લહસ્ત-(તે નામને કેાઈ મુખ્ય મંત્રી હોય અથવા જૈત્રસિંહ રાજાને પુત્ર હોય) ને રાજાની આજ્ઞાથી રાજાના પ્રતિનિધિ તરીકે સ્થાપો ૨૧૭ પછી બીજા સર્વ મંત્રીઓ, સૈન્યને સાથે લઈ, પાટણ નગરમાં આવી પહોંચ્યા અને તેઓએ જૈત્રસિહ રાજાનું સર્વસ્વ રાજા જયસિંહને અર્પણ કર્યું. ૧૯તે સમયે રાજાએ પણ ત્યાંથી આવેલી તે ભેટ સામે દૃષ્ટિ સરખી પણ ન કરી. તેનાં નેત્રોમાં મંત્રીના દુઃખથી અશ્રુઓ ઉભરાઈ નીકળ્યાં. ૨૧૯ પછી રાજાએ તે સર્વ ભેટ ઉદયનના પુત્ર વાડ્મટને અર્પણ કરી દીધી; ઉપરાંત દુર્જનનાં જાડાં બંધ કરનારો ઉદયને ધારણ કરેલી મંત્રી મુદ્રા તેને અર્પણ કરી. ઉદયનની પેઠે વાડ્મટને પણ પોતાના મંત્રી બનાવ્યો ૨૨૦ વાગભટ પણ રાજારૂપ ગુરુપાસેથી લેક સમૂહમાં સિદ્ધિ કરનારી, પોતાનું શાસન ચલાવનારી તે મંત્રી મુદ્રા પ્રાપ્ત કરીને પ્રજાઓનું એક આશ્રયસ્થાન બન્યો અને દુષ્ટોને શિક્ષા કરનારો થયો. ૨૧ એક દિવસે પેલા મંત્રીઓએ વાડ્મટને પ્રણામ કરીને તેના પિતા ઉદયને જે કહ્યું તે સર્વ જણાવ્યું. ૨૨૫ એટલે વામ્ભટે પણ પિતાના એ બને અભિગ્રહાન તેજ સમયે સ્વીકાર કરી લીધા અને પિતાની આજ્ઞામાં રહેનારા કેટલાએક કારીગરને શત્રુંજય પર્વત પર મેકયા. ૨૨૩ એ કારીગરેએ, શુભ મુહૂર્ત મંદિર ચણવાનું કામ શરૂ કર્યું (૧૫૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy